શોધખોળ કરો

પતિ બન્યો કાળ, પત્નીને મારીને પોતે લટકી ગયો! પોરબંદરના ફટાણાની ખૌફનાક ઘટના!

Crime News: પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, બાદમાં પોતે પણ ફાંસો ખાધો, બે બાળકો નોંધારા બન્યા.

Porbandar Crime: પોરબંદર જિલ્લાના ફટાણા ગામે એક હૃદયદ્રાવક ઘટનામાં દલિત દંપતીના મોત થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મૃતકોની ઓળખ મેરામણ કેશુ સાદીયા અને મનીષાબેન મેરામણ સાદીયા તરીકે થઈ છે. મેરામણભાઈનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેમના પત્ની મનીષાબેન શંકાસ્પદ હાલતમાં મૃત પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર, મેરામણભાઈ અને મનીષાબેન ગઈકાલે મજૂરી કામ માટે ગયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા બાદ રાત્રે બંને બાળકો, પિયુષ (ઉંમર 13) અને મિલન (ઉંમર 8) સાથે ભોજન લીધું હતું. રાત્રે પતિ-પત્ની વચ્ચે શું બન્યું તે હજુ અકબંધ છે, પરંતુ પોલીસનું માનવું છે કે મેરામણભાઈએ મનીષાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લીધો હતો.

રાત્રે ઊંઘમાંથી જાગી ગયેલા બાળકોએ આ ભયાનક દ્રશ્ય જોયું હતું અને તરત જ બાજુમાં રહેતા દાદા કેશુભાઈ અને કાકા કરણભાઈને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંનેને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ કરૂણ ઘટનામાં દંપતીના મોત થતાં બે બાળકો પિયુષ અને મિલન નોંધારા બન્યા છે.

મૃતક મેરામણભાઈના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો છે, જેમાં તેઓ સૌથી મોટા હતા. આ બનાવની જાણ થતાં બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એસ. બારા અને ગ્રામ્ય ડીવાયએસપી ઈન્ચાર્જ ઋતુ રાબા તાત્કાલિક હોસ્પિટલ અને ફટાણા ગામે પહોંચ્યા હતા. આ ઘટનાથી ફટાણા ગામ અને દલિત સમાજમાં ભારે શોક અને ગમગીની છવાઈ ગઈ છે. હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને બનાવના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો...

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget