શોધખોળ કરો

ICAI: આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ દ્વારા સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ યોજાયું

આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા 3થી 5 ટકા જેટલી હતી

ICAI:  ધો. 10 થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાય પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુસર ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ યોજાયું હતું. આ કાર્યક્રમમાં શહેરની અગ્રગણ્ય 50થી વધુ સ્કુલોના 3000થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈસીએઆઈના ચેરપર્સન સીએ બિશન શાહ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા અમદાવાદ શહેરનાં જિલ્લા શિક્ષણ અધિકારી  આર એમ ચૌધરીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ અઘરો છે તેવી માન્યતા ભૂતકાળમાં હતી પરંતુ હવે સીએ બનનારાઓની સંખ્યા વધી છે. કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે પરિશ્રમ એ જ પારસમણી છે, તે મંત્રને અનુસરી મહેનત કરીએ તો અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે.

આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સીએ બનનારાઓની સંખ્યા 3થી 5 ટકા જેટલી હતી. જ્યારે હવે ડિઝિટલાઈઝેશનના જમાનામાં રિસોર્સિસ વધવાના કારણે પરિણામની ટકાવારી 15થી 17 ટકા સુધી રહે છે. કાર્યક્રમમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સીએ વ્યવસાય અંગેના કોર્સ માટે પ્રોત્સાહિત કરતાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ 10 પાસ થયા બાદ આપ સીએના અભ્યાસ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ધોરણ 12 પાસ કર્યા બાદ આપ સીએ ફાઉન્ડેશનનો કોર્સ કરી શકો છો. નવેમ્બર 2023થી અમલી બનનારા સીએના નવા અભ્યાસક્રમમાં પેપરોની સંખ્યા ઘટશે અને સમયમર્યાદા પણ ઘટશે.

સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના ચેરમેન સીએ હંસરાજ ચૂગે જણાવ્યું હતું કે, ભારતના માનનીય વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે આગામી દિવસોમાં ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની છે તે સાકાર કરવા માટે સીએની ભૂમિકા મહત્વની રહેશે. વર્ષ 2030 સુધીમાં ભારતને સુપર ઈકોનોમી બનાવવા દરેક સીએએ મહત્વનો રોલ અદા કરવાનો રહેશે.


ICAI: આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચ દ્વારા સુપર મેગા કેરિયર કાઉન્સેલિંગ યોજાયું

સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના કો-ચેરમેન સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓનું ગણિત સારું છે તેઓ માટે સીએનો કોર્સ સહેજપણ અઘરો નથી. વર્તમાન સમયમાં ભારત અને સમગ્ર વિશ્વમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસની જેટલી માંગ છે તેટલા પ્રમાણમાં સીએની ઘટ વર્તાય છે. જેથી રોજગારી માટે સીએ એ એક ઉત્તમ વિકલ્પ છે. જે વિદ્યાર્થી સીએ ફાયનલ પાસ ન કરી શકે પરંતુ આઈપીસીસી પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને બેચલર સમકક્ષની ડીગ્રી હવેથી આપવામાં આવશે જે ડિગ્રીના આધારે વિદ્યાર્થી કોઈપણ અગ્રગણ્ય કોર્પોરેટ ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી પ્રાપ્ત કરી શકશે.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, વિશ્વના વિકસિત દેશોમાં આઈટી રિટર્ન ભરનારાની ટકાવારી 60 ટકા જેટલી છે, જ્યારે ભારતમાં આઈટી રીટર્ન ભરનારાની ટકાવારી માત્ર 6 ટકા જેટલી છે. આગામી દિવસોમાં રિટર્ન ભરનારાઓની સંખ્યા જેમ-જેમ વધશે, તેમ-તેમ સીએની વ્યાપક માંગ પણ ઊભી થશે. સીએ બન્યા બાદ આપની જવાબદારી માત્ર એકાઉન્ટીંગ અને ઓડિટીંગ પૂરતી નથી રહેતી, સીએ બન્યા બાદ આપ નવી સ્ટાર્ટઅપ પોલીસી પ્રમાણે વ્યાવસાય શરૂ કરી સીઈઓ બની શકો છો અથવા કોઈપણ કોર્પોરેટ ક્ષેત્રમાં સીએફઓ તરીકે પણ રોલ અદા કરી શકો છો. સીએ બનવા ધગસ હોવી જરૂરી છે. એકવાર મહેનત કરી લો ત્યારબાદ સફળતા તમારા કદમ ચૂમશે.

આ કાર્યક્રમમાં અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, સીએ સમીર ચૌધરી, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રેલવેમાં 11 હજારથી વધુ આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે કરી શકશો અરજી 
રેલવેમાં 11 હજારથી વધુ આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો ક્યારે કરી શકશો અરજી 
સેન્ટ્રેલ બેંક ઓફ ઈન્ડિયામાં SO પદ પર ભરતી, જાણો પસંદગી થવા પર કેટલો મળશે પગાર?
સેન્ટ્રેલ બેંક ઓફ ઈન્ડિયામાં SO પદ પર ભરતી, જાણો પસંદગી થવા પર કેટલો મળશે પગાર?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા
JEE Advanced 2026: 23 એપ્રિલથી કરી શકાશે અરજીઓ , 17 મેના રોજ યોજાશે પરીક્ષા

વિડિઓઝ

Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?
Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયને લીલીઝંડી, BHAVYA યોજના-FCRA બિલને મંજૂરી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Gold Silver Price: સોનાની કિંમતમાં ઉછાળો, ચાંદી પણ ચમકી, જાણો ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Jag Laadki: વધુ એક જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું, 'જગ લાડકી' 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈ આવ્યું
Embed widget