શોધખોળ કરો

​Bank Jobs 2023: આ બેન્ક કરી રહી છે 1036 પદો પર ભરતી, એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે નજીક, જાણો ડિટેલ્સ

IDBI બેન્ક આ ડ્રાઇવ દ્વારા કુલ 1,036 જગ્યાઓ પર ભરતી કરશે. જેમાં એક્ઝિક્યૂટિવની જગ્યાઓનો સમાવેશ થાય છે.

​IDBI Recruitment 2023: આજકાલ યુવાઓ બેન્ક સેક્ટરમાં નોકરી મેળવવા માટે ખુબ ઉત્સાહિત રહે છે, જો તમે પણ બેન્કમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. હાલમાં જ IDBI બેન્કે મોટી ભરતી કરવાનું નક્કી કર્યુ છે, ખાસ વાત છે કે, બેન્કે થોડાક સમય પહેલા એક ભરતીની સૂચના બહાર પાડી હતી, જે પ્રમાણે, હવે બેન્કમાં એક હજારથી વધુ પદો પર ભરતી થવાની છે. આ ભરતી અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક આવી ગઈ છે. ઉમેદવારો આ અભિયાન માટે ઓફિશિયલ સાઇટ idbibank.in પર જઈને અરજી કરી શકે છે. અભિયાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 07 જૂન નક્કી કરવામાં આવી છે.

IDBI બેન્ક આ ડ્રાઇવ દ્વારા કુલ 1,036 જગ્યાઓ પર ભરતી કરશે. જેમાં એક્ઝિક્યૂટિવની જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરનાર ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યૂએશન ડિગ્રી/કૉમ્પ્યુટરનું જ્ઞાન અને અન્ય નિયત પાત્રતા હોવી જોઈએ.

ઉંમર મર્યાદા  - 
સૂચના અનુસાર, ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા - 
એક્ઝિક્યૂટિવની પૉસ્ટ માટે ઉમેદવારોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ/ડોક્યૂમેન્ટ વેરિફિકેશન/પૂર્વ ભરતી મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ માટે 200 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષામાં રિઝનિંગ, ક્વૉન્ટિટેટિવ ​​એપ્ટિટ્યૂડ વગેરે વિષયોમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.

કેટલી છે અરજી ફી - 
IDBI બેન્કની આ ભરતી ડ્રાઇવ માટે ઉમેદવારોએ અરજી ફી પણ ચૂકવવી પડશે. તે ભરતી માટે ઉમેદવારોએ 1000 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.

ક્યારે લેવાશે પરીક્ષા - 
આ પદો પર ભરતી માટે ઓનલાઇન પરીક્ષાનું આયોજન 02 જુલાઇ, 2023 એ કરવામાં આવશે. 

આ રીતે કરો એપ્લાય - 

ઉમેદવાર સૌથી પહેલા બેન્કની ઓફિશિયલ વેબસાઇટ idbibank.in પર જાય.
હૉમ પેજ પર ઉપલબ્ધ આઇડીબીઆિ રિક્રૂટમેન્ટ 2023 લિન્ક પર ક્લિક કરે. 
ઉમેદવારની સામે એક નવું પેજ ખુલશે. 
આ પછી ઉમેદવાર ખુદને રજિસ્ટર કરે અને અરજીપત્ર ભરે. 
હવે અરજી ફીની ચૂકવણી કરે.
આ પછી ઉમેદવાર ફૉર્મને સબમિટ કરી દે.
હવે ઉમેદવાર અરજીપત્રને ડાઉનલૉડ કરે.
ઉમેદવાર એપ્લીકેશન ફૉર્મની પ્રિન્ટ આઉટ કાઢી લે. 

 

બનવું છે સરકારી અધિકારી, ધો.12મું પાસ કર્યા પહેલા જ શરૂ કરી દો તૈયારી

આજકાલ શાળાના દિવસોથી જ બાળકોના મનમાં સરકારી નોકરી કરવાની ઈચ્છા હોય છે. વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે, તેમનો 12મા સુધીનો અભ્યાસ પૂરો થતાં જ તેમને સરકારી નોકરી મળે. જો તમે અથવા તમે મળો છો તે કોઈની પણ આવી જ ઈચ્છા હોય તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી છે. અહીં અમે તમને એવી ત્રણ સરકારી નોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માટે તમારે 12મા ધોરણમાં આવતા પહેલા તૈયારી શરૂ કરી દેવી જોઈએ.

રેલવેમાં નોકરી

રેલ્વેમાં નોકરી મેળવવી એ દરેક બીજા વિદ્યાર્થીની ઈચ્છા હોય છે. જો તમે પણ 12મું પાસ કર્યા પછી રેલવેમાં નોકરી કરવા માંગો છો તો તેની તૈયારી 11મા ધોરણથી જ શરૂ કરો. રેલવેમાં આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર, ટિકિટ કલેક્ટર, ક્લાર્કની જગ્યાઓ માટે 12 પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે. જો તમે સમયસર તૈયારી કરવાનું શરૂ કરો છો, તો ચોક્કસ તમને નોકરી મળી શકે છે.

SSC (CHSL)

12મી પછી સરકારી નોકરી મેળવવાનું સપનું જોનારાઓ માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) વિવિધ પોસ્ટ માટે ભરતી કરે છે. આ ભરતી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર (CHSL) પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષામાં સફળતા મળવા પર તમને સરકારી નોકરી મળે છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) / જુનિયર સચિવાલય મદદનીશ (JSA) જેવી જગ્યાઓ પર નોકરી મળે છે.

પોલીસમાં નોકરી

12 પાસ ઉમેદવારો માટે, પોલીસમાં ભરતી વિવિધ રાજ્યો વતી કરવામાં આવે છે. પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવારનું 12મું પાસ હોવું જરૂરી છે. જો તમે પણ પોલીસમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારે તેના માટે શારીરિક તૈયારી પણ કરવી જોઈએ. તેથી ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે ધોરણ 11માં અથવા તે પહેલાંની તૈયારી શરૂ કરવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget