શોધખોળ કરો

થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા

CBSE Three-Language Policy: સીબીએસઈ (CBSE) એ સ્પષ્ટ કર્યું છે કે 7મી, 8મી, 9મી અને હાલના 10મી ધોરણના વિદ્યાર્થીઓ પર નવો થ્રી-લેંગ્વેજ (ત્રણ ભાષાનો) ફોર્મ્યુલા લાગુ થશે નહીં. ચાલો આખી વિગતો જાણીએ...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • CBSE: હાલના વિદ્યાર્થીઓ ત્રણ-ભાષા નીતિમાંથી મુક્ત થયા.
  • નીતિ તબક્કાવાર લાગુ, 9-10 માં સ્કૂલ મૂલ્યાંકન કરશે.
  • ધોરણ 6 થી સંપૂર્ણ નીતિ, બે ભારતીય ભાષા ફરજિયાત.

CBSE Three-Language Policy: સીબીએસઈ (CBSE) એ સ્પષ્ટ કર્યું છે કે 7મી, 8મી, 9મી અને હાલના 10મી ધોરણના વિદ્યાર્થીઓ પર નવો થ્રી-લેંગ્વેજ (ત્રણ ભાષાનો) ફોર્મ્યુલા લાગુ થશે નહીં. 

 

સીબીએસઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ લાગુ કરવામાં આવી રહેલી થ્રી-લેંગ્વેજ પોલિસીને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓની મૂંઝવણ દૂર કરી દીધી છે. બોર્ડે સાફ કર્યું છે કે 7મી, 8મી અને 9મી ધોરણમાં ભણી રહેલા હાલના વિદ્યાર્થીઓએ નવા નિયમો હેઠળ 10મી બોર્ડની પરીક્ષામાં ત્રીજી ભાષાનું પેપર આપવું પડશે નહીં. એટલે કે આ બેચના વિદ્યાર્થીઓનો અભ્યાસ પહેલાથી નક્કી થયેલી વ્યવસ્થા મુજબ જ ચાલુ રહેશે.

આ પણ વાંચો...UPSCમાં બહાર પડી ભરતી, અનેક મંત્રાલયોમાં મળશે નોકરી

બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) અનુસાર, હાલના 10મી ધોરણના વિદ્યાર્થીઓ પર પણ નવી ભાષા નીતિ લાગુ થશે નહીં. આનાથી આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના ફેરફાર કે વધારાના વિષયની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

આ રીતે લાગુ કરવામાં આવશે નિયમ:

સીબીએસઈ (CBSE) નું કહેવું છે કે નવી ભાષા નીતિને તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અચાનક કોઈ અસર ન પડે. આ માટે ધોરણના સ્તર અનુસાર જરૂરી અભ્યાસ સામગ્રી (સ્ટડી મટીરિયલ) પણ નક્કી કરેલી સમયમર્યાદામાં પૂરી પાડવામાં આવશે.

કયા ધોરણ પર કયા નિયમો લાગુ થશે?

ધોરણ 10 (શૈક્ષણિક સત્ર 2026-27)

આ બેચ માટે કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓ પહેલાની જેમ જ માત્ર બે ભાષાઓ ભણશે. તેમને ત્રીજી ભાષા રાખવાની જરૂર રહેશે નહીં.

ધોરણ 9 (શૈક્ષણિક સત્ર 2026-27)

આ બેચના વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓ ભણવી પડશે. ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી અનિવાર્ય છે. જો કોઈ વિદ્યાર્થી પહેલાથી જ હિન્દી અને તમિલ જેવી બે ભારતીય ભાષાઓ ભણી રહ્યો છે, તો તે ત્રીજી ભાષા તરીકે અન્ય કોઈ ભારતીય ભાષા અથવા અંગ્રેજી, ફ્રેન્ચ જેવી વિદેશી ભાષા પસંદ કરી શકે છે.

જો કોઈ વિદ્યાર્થી તમિલ અને અંગ્રેજી ભણી રહ્યો છે, તો તેણે ત્રીજી ભાષા તરીકે એક ભારતીય ભાષા ઉમેરવી પડશે. જો કોઈ વિદ્યાર્થી અંગ્રેજી અને ફ્રેન્ચ જેવી બે વિદેશી ભાષાઓ ભણી રહ્યો છે, તો તેને એક વખત માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તે પોતાની બંને વિદેશી ભાષાઓ ચાલુ રાખી શકે છે, પરંતુ તેની સાથે એક ભારતીય ભાષા પણ ભણવી પડશે.

સૌથી મોટી રાહત

વર્તમાન સમયમાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષામાં CBSE બોર્ડની પરીક્ષા આપવી પડશે નહીં. આ ભાષાનું મૂલ્યાંકન (ઇન્ટરનલ એસેસમેન્ટ) માત્ર સ્કૂલ લેવલ પર જ થશે.

ધોરણ 7 અને 8 (શૈક્ષણિક સત્ર 2026-27)

જ્યારે આ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 10 માં પહોંચશે, ત્યારે પણ તેઓ ત્રણ ભાષાઓ ભણશે. જો તેમણે પહેલાથી જ બે વિદેશી ભાષાઓ પસંદ કરી રાખી છે, તો તેમણે માત્ર એક ભારતીય ભાષા ઉમેરવાની રહેશે. આ વિદ્યાર્થીઓએ પણ ત્રીજી ભાષાની CBSE બોર્ડ પરીક્ષા આપવાની રહેશે નહીં. તેનું મૂલ્યાંકન માત્ર સ્કૂલ જ કરશે.

ધોરણ 6 (શૈક્ષણિક સત્ર 2026-27) અને ત્યારપછીની બેચ

આ વિદ્યાર્થીઓ પર નવી નીતિ સંપૂર્ણપણે લાગુ થશે. ત્રણ ભાષાઓમાં બે ભારતીય ભાષાઓ ફરજિયાત રહેશે. જ્યારે આ વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પહોંચશે, ત્યારે તેઓ ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા પણ આપશે. NCERT બંધારણની 22 માન્ય ભારતીય ભાષાઓમાં નવું પુસ્તકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

કયા વિદ્યાર્થીઓને છૂટ મળશે?

CBSE એ કેટલીક શ્રેણીના વિદ્યાર્થીઓને આ નિયમમાંથી મુક્તિ આપી છે. દિવ્યાંગ (CwSN) વિદ્યાર્થીઓને કાયદા અનુસાર રાહત મળશે. ભારતની બહાર આવેલી CBSE સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ભારતીય ભાષા ભણવી ફરજિયાત રહેશે નહીં. વિદેશથી ભારત પરત ફરેલા વિદેશી વિદ્યાર્થીઓને પણ ત્રીજી ભારતીય ભાષામાંથી મુક્તિ મળશે.

જો પરિવાર બીજા રાજ્યમાં શિફ્ટ થઈ જાય તો?

જો કોઈ વિદ્યાર્થીના માતા-પિતા બીજા રાજ્યમાં બદલી (ટ્રાન્સફર) પામે છે, તો વિદ્યાર્થી પોતાની પહેલા પસંદ કરેલી ત્રીજી ભાષા ચાલુ રાખી શકે છે. આવા કિસ્સાઓમાં સ્કૂલે તેના અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે.

સ્કૂલોમાં શિક્ષકો કેવી રીતે ઉપલબ્ધ થશે?

CBSE એ જણાવ્યું છે કે સ્કૂલો જરૂર પડ્યે વર્તમાન શિક્ષકો, નિવૃત્ત  શિક્ષકો, પોસ્ટગ્રેજ્યુએટ શિક્ષકો અને ઓનલાઈન અથવા હાઈબ્રિડ માધ્યમનો ઉપયોગ કરી શકે છે.

CBSE એ શું કહ્યું?

બોર્ડનું કહેવું છે કે આ ફેરફાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ને અનુરૂપ કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો બોજ વધારવાનો નથી, પરંતુ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો અને ભાષા શીખવાની પ્રક્રિયાને સરળ, રસપ્રદ અને ઉપયોગી બનાવવાનો છે. સાથે જ બોર્ડે ખાતરી આપી છે કે આ ફેરફારથી કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન થવા દેવામાં આવશે નહીં.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

હાલના ધોરણ 7, 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પર નવી ત્રણ ભાષા નીતિ લાગુ પડશે?

ના, CBSE એ સ્પષ્ટ કર્યું છે કે હાલના ધોરણ 7, 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ પર નવો ત્રણ ભાષાનો ફોર્મ્યુલા લાગુ પડશે નહીં. આ વિદ્યાર્થીઓએ 10મી બોર્ડની પરીક્ષામાં ત્રીજી ભાષાનું પેપર આપવું પડશે નહીં.

ત્રીજી ભાષા માટે બોર્ડની પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓએ આપવી પડશે?

ધોરણ 6 (શૈક્ષણિક સત્ર 2026-27) અને ત્યારપછીની બેચના વિદ્યાર્થીઓ પર નવી નીતિ સંપૂર્ણપણે લાગુ પડશે. આ વિદ્યાર્થીઓ ધોરણ 10 માં પહોંચશે ત્યારે તેઓ ત્રીજી ભાષાની બોર્ડ પરીક્ષા પણ આપશે.

ત્રણ ભાષાની નીતિમાંથી કયા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે?

દિવ્યાંગ (CwSN) વિદ્યાર્થીઓ, ભારત બહારની CBSE સ્કૂલોના વિદ્યાર્થીઓ અને વિદેશથી ભારત પરત ફરેલા વિદેશી વિદ્યાર્થીઓને આ નિયમમાંથી મુક્તિ મળશે.

CBSEની નવી ત્રણ ભાષા નીતિનો મુખ્ય હેતુ શું છે?

આ નીતિ NEP 2020 ને અનુરૂપ છે. તેનો મુખ્ય હેતુ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો અને ભાષા શીખવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો બોજ વધારવાનો નથી.

શું બધા વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષા માટે CBSE બોર્ડની પરીક્ષા આપવી પડશે?

ના. ધોરણ 9 (શૈક્ષણિક સત્ર 2026-27) અને ધોરણ 7-8 (શૈક્ષણિક સત્ર 2026-27) ના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષાનું મૂલ્યાંકન સ્કૂલ લેવલ પર જ થશે. તેમને બોર્ડ પરીક્ષા આપવી પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget