શોધખોળ કરો

Exams 2022: ભાજપ શાસિત આ રાજ્યમાં ધો.5 અને ધો.8 ની પરીક્ષા નહીં લેવામાં આવે જાણો સરકારે કેમ લીધો નિર્ણય

Exams 2022: CBSE અને હરિયાણા બોર્ડ બંનેની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આગામી સત્રથી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. શાળાઓ પોતાના સ્તરે પરીક્ષા લેશે.

Exam 2022: દેશમાં હાલ કોરોના કેસ એકદમ ઘટી ગયા છે અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ ગયું છે. આ દરમિયાન ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં એક વર્ષ સુધી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી મનોહર લાલે આ જાહેરાત કરી હતી. CBSE અને હરિયાણા બોર્ડ બંનેની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આગામી સત્રથી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. શાળાઓ પોતાના સ્તરે પરીક્ષા લેશે.

ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈને વાલીઓના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. માહિતી, જનસંપર્ક અને ભાષા વિભાગ, હરિયાણાના ડિરેક્ટોરેટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી છે કે CBSE અને હરિયાણા બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવી છે. આવતા વર્ષથી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે.

હરિયાણા સરકારનો આ નિર્ણય ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓના વાલીઓના વિરોધ બાદ આવ્યો છે. બાળકોના માતા-પિતા એપ્રિલ 2022માં ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાના રાજ્ય સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે તમામ ખાનગી અને સરકારી શાળાઓએ પરીક્ષા લેવા માટે 20 ફેબ્રુઆરી પહેલા રાજ્ય શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવવી પડશે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે ઘણો ઓછો થઈ ગયો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,051 નવા કેસ સામે આવ્યા છે અને 206 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 19 હજાર 968 નવા કેસ સામે આવ્યા હતા અને 673 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 37 હજાર 901 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 22 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 28 લાખ 38 હજાર 524 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 12 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 21 લાખ 24 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે. કુલ 2 લાખ 2 હજાર 131 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.

  • કોરોનાના કુલ કેસ - 4 કરોડ 28 લાખ 38 હજાર 524
  • કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 24 હજાર 284
  • કુલ એક્ટિવ કેસ - 2 લાખ 2 હજાર 131
  • કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 109
  • કુલ રસીકરણ - 175 કરોડ 46 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET 2026 પરીક્ષા રદ, ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી, જાણો NTA એ શું કહ્યું?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ
CBSE 12th Result 2026: CBSE ધોરણ-12ના પરિણામને લઈને DigiLocker પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget