શોધખોળ કરો

હવે શિક્ષણનો આખો ખર્ચ સરકાર ઉઠાવશે, વિદ્યાર્થીઓને મળશે 1.25 લાખ, જાણી લો આવક મર્યાદાનો નિયમ

પૈસાના અભાવે હવે કોઈનો અભ્યાસ નહીં અટકે; શિષ્યવૃત્તિનો લાભ કોને મળશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી જાણો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ યશસ્વી યોજના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય આપે છે.
  • OBC, EBC, DNT વિદ્યાર્થીઓ વાર્ષિક 2.5 લાખ આવક મર્યાદામાં પાત્ર.
  • ધોરણ 9-10 માટે ₹75,000, 11-12 માટે ₹1.25 લાખ શિષ્યવૃત્તિ.
  • નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાય છે.

PM Yashasvi Yojana 2026: આજના સમયમાં વધતી મોંઘવારીના કારણે બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો માતાપિતા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. પૈસાની તંગીના કારણે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને અધવચ્ચેથી જ પોતાનો અભ્યાસ છોડી દેવો પડે છે. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓએ હિંમત હારવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની 'પીએમ યશસ્વી યોજના' (PM YASASVI Scheme) આવા જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ સરકાર વિદ્યાર્થીઓના ભણતરનો, હોસ્ટેલનો અને પુસ્તકોનો બધો જ ખર્ચ ઉઠાવે છે, જેથી પૈસાના અભાવે કોઈનું પણ શિક્ષણ ન અટકે.

શું છે પીએમ યશસ્વી યોજના?

આ યોજનાનું આખું નામ 'વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી યંગ એચિવર્સ શિષ્યવૃત્તિ પુરસ્કાર યોજના' છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વધુ સારા શિક્ષણ માટે આર્થિક મદદ પૂરી પાડવાનો છે.

આ યોજનાનો લાભ કોને મળશે?

આ શિષ્યવૃત્તિ ખાસ કરીને OBC, EBC અને DNT કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલીક શરતો નક્કી કરી છે, જે નીચે મુજબ છે:

વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.

વિદ્યાર્થી કોઈ માન્યતા પ્રાપ્ત શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.

આ યોજનામાં વિદ્યાર્થિનીઓ (છોકરીઓ) માટે 30 ટકા સીટો ખાસ અનામત રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર

કેટલી શિષ્યવૃત્તિ મળશે?

આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમને મળતી રકમની વિગત આ પ્રમાણે છે:

ધોરણ 9 અને 10: આ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને દર વર્ષે વધુમાં વધુ 75,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે.

ધોરણ 11 અને 12: આ ધોરણના વિદ્યાર્થીઓને દર વર્ષે 1.25 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓ તેમની ટ્યુશન ફી, હોસ્ટેલ ફી અને ભણતરને લગતા અન્ય જરૂરી ખર્ચાઓ માટે કરી શકે છે.

આ પણ વાંચોઃ GSEB ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે

કેવી રીતે કરવી અરજી?

જો તમે આ યોજનાના નિયમો મુજબ લાયક છો, તો તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો:

સૌથી પહેલા 'નેશનલ સ્કોલરશિપ પોર્ટલ' (National Scholarship Portal) પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરો.

ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી માહિતી ધ્યાનપૂર્વક ભરો.

તમારા જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ) સ્કેન કરીને અપલોડ કરો.

તમારા બેંક એકાઉન્ટની સાચી વિગતો ભરો, જેથી શિષ્યવૃત્તિના પૈસા સીધા ખાતામાં જમા થઈ શકે.

બધી જ વિગતો ફરીથી ચકાસીને છેલ્લે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.

તમે અરજી સબમિટ કરશો ત્યારપછી, સંબંધિત શૈક્ષણિક સંસ્થા અને રાજ્ય સરકાર દ્વારા તમારા દસ્તાવેજોનું વેરિફિકેશન કરવામાં આવશે. જો બધું યોગ્ય જણાશે, તો શિષ્યવૃત્તિની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખરેખર ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

પીએમ યશસ્વી યોજના શું છે?

પીએમ યશસ્વી યોજના (વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી યંગ એચિવર્સ શિષ્યવૃત્તિ પુરસ્કાર યોજના) સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદ કરવા માટે શરૂ કરાઈ છે.

આ યોજનાનો લાભ કોને મળી શકે છે?

આ યોજના OBC, EBC અને DNT કેટેગરીના વિદ્યાર્થીઓ માટે છે, જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય અને તેઓ માન્યતા પ્રાપ્ત શાળા કે કોલેજમાં અભ્યાસ કરતા હોય.

ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે છે?

ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે.

પીએમ યશસ્વી યોજના માટે કેવી રીતે અરજી કરવી?

તમે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને, જરૂરી માહિતી અને દસ્તાવેજો ભરીને અરજી કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Embed widget