શોધખોળ કરો

NEET પેપર લીકને રોકવા ટેલિગ્રામ પર મુકાયો છે પ્રતિબંધ, કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કરી અરજી

21 જૂને યોજાનારી NEET-UG ફરીથી પરીક્ષા પહેલા ટેલિગ્રામે તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટેલિગ્રામે પ્લેટફોર્મ બ્લોક કરવાના સરકારી નિર્ણયને પડકાર્યો.
  • NEET પેપર લીક અંગે ખોટી માહિતી રોકવા બ્લોક કરાયું.
  • NTA એ 200+ ચેનલો બ્લોક કરાવી, ટેલિગ્રામે અસર જણાવી.
  • CBI એ NEET પેપર લીક કેસમાં 13 આરોપી ધરપકડ કર્યા.

21 જૂને યોજાનારી NEET-UG ફરીથી પરીક્ષા પહેલા ટેલિગ્રામે તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે. જસ્ટિસ તેજસ કરિયાની બેન્ચ સમક્ષ ટેલિગ્રામ દ્વારા આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડાયરેક્ટર જનરલ અભિષેક સિંહે જણાવ્યું હતું કે NEET પરીક્ષા સંબંધિત છેતરપિંડી અને પેપર લીકને લગતી ખોટી માહિતીને રોકવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં અભિષેક સિંહે જણાવ્યું હતું કે, "અમારે આ કડક પગલું ભરવું પડ્યું કારણ કે કૌભાંડીઓ અને છેતરપિંડી કરનારાઓ ટેલિગ્રામ પ્લેટફોર્મનો સતત દુરુપયોગ કરી રહ્યા હતા. તેઓ આગામી NEET પરીક્ષાના વાસ્તવિક પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને નકલી પ્રશ્નપત્રો ફેલાવી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પાસેથી તેમની ચિંતાનો લાભ લઈને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

આ માટે NTA એ ટેલિગ્રામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને NEET પરીક્ષાનું પેપર લીક થયાનો સ્પષ્ટપણે દાવો કરતા ગ્રુપ્સ અને ચેનલોને બ્લોક કરવાની વિનંતી કરી હતી. આ પ્રયાસના ભાગ રૂપે 200થી વધુ ચેનલોને બ્લોક કરવામાં આવી હતી. દરમિયાન મેસેજિંગ એપના સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવે એક્સ પર લખ્યું  હતું કે, "ભારતના આઈટી મંત્રાલયે ટેલિગ્રામ પર એક અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે કેટલાક યુઝર્સ લીક થયેલા પરીક્ષાના પ્રશ્નો શેર કર્યા હતા. આનાથી ભારતમાં 150 મિલિયનથી વધુ સામાન્ય ટેલિગ્રામ યુઝર્સને સજા થઈ રહી છે, પરીક્ષા સામગ્રી લીક કરનારાઓને નહીં. આ પ્રતિબંધથી કંઈ થયું નહીં. લીક્સ ફક્ત અન્ય એપ્લિકેશનોમાં ફેલાઈ ગયા." 

નોંધનીય છે કે પેપર લીક થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી હતી. અત્યાર સુધીમાં CBI એ પેપર લીક કેસમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે અને બધા તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં 21 જૂને યોજાનારી NEET UG રી-ટેસ્ટ પહેલા ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. સરકારનું માનવું હતું કે પ્રશ્નપત્રો અને અન્ય સંવેદનશીલ સામગ્રી સહિત પરીક્ષા સંબંધિત ગુપ્ત માહિતી લીક થવાની સંભાવનાને કારણે આ પગલું જરૂરી હતું. ટેલિગ્રામે સરકારના આ નિર્ણય સામે કોર્ટમાં અપીલ કરી છે. કંપનીનો દલીલ છે કે આ પ્રતિબંધ ગેરવાજબી છે અને લાખો કાયદેસર યુઝર્સને અસર કરી રહ્યો છે. તેથી આ નિર્ણયની ન્યાયિક સમીક્ષા થવી જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

ટેલિગ્રામે દિલ્હી હાઈકોર્ટમાં શા માટે અરજી કરી છે?

ટેલિગ્રામે કેન્દ્ર સરકાર દ્વારા તેના પ્લેટફોર્મને અસ્થાયી રૂપે બ્લોક કરવાના નિર્ણયને પડકારવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.

કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ શા માટે મૂક્યો હતો?

NEET પરીક્ષા સંબંધિત છેતરપિંડી અને પેપર લીકને લગતી ખોટી માહિતી રોકવા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો હતો. કૌભાંડીઓ નકલી પ્રશ્નપત્રો ફેલાવી પૈસા પડાવતા હતા.

ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે આ પ્રતિબંધ વિશે શું કહ્યું?

પાવેલ દુરોવે કહ્યું કે ભારતના IT મંત્રાલયે લીક થયેલા પ્રશ્નો શેર કરવા બદલ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. આનાથી 150 મિલિયનથી વધુ સામાન્ય યુઝર્સને સજા થઈ, અને લીક્સ અન્ય એપ્લિકેશનોમાં ફેલાઈ ગયા.

NEET પરીક્ષા શા માટે રદ કરવામાં આવી હતી?

પેપર લીક થયા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 3 મેના રોજ યોજાયેલી NEET પરીક્ષા રદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
Jobs: જલદી નોકરી જોઇએ તો ધો-10 પછી કરી લો આ ડિપ્લોમાં કોર્સ, નાની ઉંમરે સેટ થઈ જશે કેરિયર
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Embed widget