શોધખોળ કરો

Ahmedabad: એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,ફી વધારાને લઈને સામે આવી મોટી માહિતી

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે.

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે. એટલે કે જે કોલેજ ફી વધારો કરવા માંગતી હોય તેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન નિયત કરાયેલ ધારા ધોરણ પ્રમાણેનું મહેકમ, કર્મચારીઓને આપવામાં આવતું પગારનું ધારા ધોરણ ઉપરાંત કર્મચારીઓને લગતા કાયદાનું પાલન થતું હોય તેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 

સાથે જ વધુ સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જે કર્મચારીઓ જે તે પદની લાયકાત માટે યોગ્યતા ધરાવતા હોય તેને પણ જાણી લેવામાં આવશે. આ ઉપરાંત મોટી અને મહત્વની બાબતે છે કે ગયા બ્લોકમાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોનાની પરિસ્થિતિને જોતા ફી વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સંચાલકોની માંગના આધારે તમામ ખાનગી કોલેજોને બાય ડિફોલ્ટ 5% નો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓ પાંચ ટકાથી વધારે ફી વધારો કરવામાં આવતી હોય તેમને દરખાસ્ત કરવાની રહેશે. જ્યારે માત્ર પાંચ ટકા કે તેનાથી ઓછી ફી વધારો કરવા માંગતી કોલેજોએ એફિડેવિટ કરવાની રહેશે. ફી નિર્ધારણ સમિતિ હસ્તગત રાજ્યભરમાંથી 639 જેટલી કોલેજો છે, કે જેના અંદર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સહિત વિવિધ અભ્યાસક્રમોની ફી frc - ટેકનિકલ નક્કી કરતું હોય છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ હવે થશે મોંઘો

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ રહેવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાપીઠમાં ભણવું હવે વિદ્યાર્થીઓ માટે મોંઘુ બનશે. ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અહીં અભ્યાસ કરવો એ મોઘો બનશે. વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે

મહત્વની બાબત એ છે કે વિદ્યાપીઠમાં હવે એમ.એસ યુનિવર્સિટી તર્જ પર અમદાવાદ કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. જેમાં રાંધેજા અને સાદરા કેમ્પસના કોર્સ અમદાવાદ કેમ્પસમાં લવાશે. એટલે કે અમદાવાદ કેમ્પસમાં આર્ટસ કોમર્સ અને અન્ય ફેકલ્ટીના યુ. જી, જીપીજી, પીજી ડીપ્લોમા, PHDના તમામ કોર્સિસ એક જ ફેકલ્ટીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે સાદરા કેમ્પસમાં માત્ર ફીઝીક્લ એજ્યુંકેશન કૉર્સ ચાલશે. જેથી અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. અત્યાર સુધી 950 વિદ્યાર્થિઓ અભ્યાસ કરતાં, તેની જગ્યાએ હવે 3 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. આ ઉપરાંત યુ.જી.સી એ ભરતીના નિયમોમાં ફેરફાર કરતા રજીસ્ટ્રાર, ફાઇનાન્સ ઑફિસર, ઇન્ટરનલ ઓડિટર ની પોસ્ટની ભરતી પ્રક્રિયા રદ કરી છે. વિદ્યાપીઠની બી. ઓ જી ની બેઠકમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget