શોધખોળ કરો

Ahmedabad: એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,ફી વધારાને લઈને સામે આવી મોટી માહિતી

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે.

અમદાવાદ: રાજ્યની એન્જિનિરિંગ અને ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ કોલેજોની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ટેકનિકલ કોલેજોમાં ફી વધારા માટેની SOPમાં ફેરફાર કરતા વધું સ્પષ્ટતા સાથે ફી વધારા માટે દરખાસ્ત કરવા કહ્યુ છે. એટલે કે જે કોલેજ ફી વધારો કરવા માંગતી હોય તેને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન નિયત કરાયેલ ધારા ધોરણ પ્રમાણેનું મહેકમ, કર્મચારીઓને આપવામાં આવતું પગારનું ધારા ધોરણ ઉપરાંત કર્મચારીઓને લગતા કાયદાનું પાલન થતું હોય તેવી બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. 

સાથે જ વધુ સ્પષ્ટતા એ પણ કરવામાં આવી છે કે જે કર્મચારીઓ જે તે પદની લાયકાત માટે યોગ્યતા ધરાવતા હોય તેને પણ જાણી લેવામાં આવશે. આ ઉપરાંત મોટી અને મહત્વની બાબતે છે કે ગયા બ્લોકમાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોનાની પરિસ્થિતિને જોતા ફી વધારો કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સંચાલકોની માંગના આધારે તમામ ખાનગી કોલેજોને બાય ડિફોલ્ટ 5% નો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ખાનગી સંસ્થાઓ પાંચ ટકાથી વધારે ફી વધારો કરવામાં આવતી હોય તેમને દરખાસ્ત કરવાની રહેશે. જ્યારે માત્ર પાંચ ટકા કે તેનાથી ઓછી ફી વધારો કરવા માંગતી કોલેજોએ એફિડેવિટ કરવાની રહેશે. ફી નિર્ધારણ સમિતિ હસ્તગત રાજ્યભરમાંથી 639 જેટલી કોલેજો છે, કે જેના અંદર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સહિત વિવિધ અભ્યાસક્રમોની ફી frc - ટેકનિકલ નક્કી કરતું હોય છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ હવે થશે મોંઘો

અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષે ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ રહેવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાપીઠમાં ભણવું હવે વિદ્યાર્થીઓ માટે મોંઘુ બનશે. ગુજરાત વિદ્યાપીઠમાં નવા કુલ સચિવ સહિત નવા ટ્રસ્ટી મંડળ અને બોર્ડ ઓફ ગવર્નરના સભ્યો આવ્યા બાદ દિવસના દિવસે મહત્વના સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે હવે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિવિઘ પ્રોસેસ ફીમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અલગ અલગ અભ્યાસક્રમની સાથે અન્ય પ્રોસેસ ફીમાં 6 થી 10 % સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અહીં અભ્યાસ કરવો એ મોઘો બનશે. વિદ્યાપીઠ સત્તા મંડળ દ્વારા યુ જી પી જી ડિપ્લોમા અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની પ્રોસેસ ફીમાં 10% સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠના સત્તાધીશો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યુ.જી.સી દ્વારા જે ગ્રાન્ટ મળે છે તેમાંથી કર્મચારીઓનો પગાર અને પેન્શનમાં વપરાઈ જતો હોય છે. જેથી હવે વિદ્યાપીઠના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરવા માટે લાંબા સમય બાદ એજ્યુકેશન ફી, ઇન્ટર્નલ પરીક્ષા ફી, સ્ટુડન્ટ વેલ્ફેર ફી, પ્રોફેશન કમ્પીટન્સી ફી, કરિક્યુલર એક્ટિવિટી ફી, પ્રેકટિકલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે

મહત્વની બાબત એ છે કે વિદ્યાપીઠમાં હવે એમ.એસ યુનિવર્સિટી તર્જ પર અમદાવાદ કેમ્પસ ડેવલપ કરવામાં આવશે. જેમાં રાંધેજા અને સાદરા કેમ્પસના કોર્સ અમદાવાદ કેમ્પસમાં લવાશે. એટલે કે અમદાવાદ કેમ્પસમાં આર્ટસ કોમર્સ અને અન્ય ફેકલ્ટીના યુ. જી, જીપીજી, પીજી ડીપ્લોમા, PHDના તમામ કોર્સિસ એક જ ફેકલ્ટીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે સાદરા કેમ્પસમાં માત્ર ફીઝીક્લ એજ્યુંકેશન કૉર્સ ચાલશે. જેથી અમદાવાદ કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. અત્યાર સુધી 950 વિદ્યાર્થિઓ અભ્યાસ કરતાં, તેની જગ્યાએ હવે 3 હજાર વિદ્યાર્થી અભ્યાસ કરશે. આ ઉપરાંત યુ.જી.સી એ ભરતીના નિયમોમાં ફેરફાર કરતા રજીસ્ટ્રાર, ફાઇનાન્સ ઑફિસર, ઇન્ટરનલ ઓડિટર ની પોસ્ટની ભરતી પ્રક્રિયા રદ કરી છે. વિદ્યાપીઠની બી. ઓ જી ની બેઠકમાં વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી વિદ્યાર્થીઓની હાજરી બાયોમેટ્રિક પદ્ધતિથી દિવસમાં બે વાર લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
IND vs NZ 2nd ODI Playing 11: આજે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડે મેચ, આયુષ બદોની કરશે ડેબ્યૂ!
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
T20 World Cup 2026: પાકિસ્તાની મૂળના ચાર ક્રિકેટરને નથી મળ્યા ભારતના વીઝા, જાણો કેમ થયો વિવાદ?
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
નહીં મળે RAC અને વેઈટિંગ, વંદે ભારત સ્લીપરમાં કેવી હશે ટિકિટ સિસ્ટમ?
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
Embed widget