શોધખોળ કરો

Gandhinagar: રવિવારે રાજ્યમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોજાશે વિદ્યાસેતુ સ્કોલરશીપ પરીક્ષા

ગાંધીનગર: રવિવારે રાજ્યમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 8માંથી 9માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિદ્યાસેતુ સ્કોલરશીપ પરીક્ષા યોજનાની શરૂઆત કરી છે.

ગાંધીનગર: રવિવારે રાજ્યમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગે નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 8માંથી 9માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિદ્યાસેતુ સ્કોલરશીપ પરીક્ષા યોજનાની શરૂઆત કરી છે. જે સંદર્ભે રવિવારે આ પરીક્ષા લેવામાં આવશે. જેમાં કુલ 397417 વિદ્યાર્થિઓ પરીક્ષા આપશે, જેમાં ગુજરાતી માધ્યમના 393977 જયારે અંગ્રેજી માધ્યમના 3540 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

રાજ્યમાં 1596 પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સરકારી શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદ્યાસેતુ પરિક્ષા યોજના શરૂ કરી છે. ધોરણ 1 થી 8 માં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ કર્યા બાદ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આગળ એટલે કે ધોરણ 9 થી 12 માં અભ્યાસી તક મળે તે માટે આ યોજનાની શરૂઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓને 9 10 11 અને 12 એમ ચાર વરસ દરમિયાન તબક્કા વાર કુલ ૯૦ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 14,736 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 11000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. સવારે 11 કલાકથી પરીક્ષાની શરૂઆત થશે, જે 1.30 સુધી ચાલશે.

આ ક્ષેત્રે બનાવો કારકિર્દી, પહેલા જ મહિનાથી થશે તગડી કમાણી

આજની બદલાતી દુનિયામાં કંપનીઓને એવા નિષ્ણાતોની જરૂર છે જેઓ તેમને વ્યવસાયની સમજ અને વ્યૂહાત્મક ઉકેલો પ્રદાન કરી શકે. આ કામ માટે કંપનીઓ મુખ્યત્વે બિઝનેસ વિશ્લેષકોને હાયર કરે છે. જે તથ્યો અને ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરીને કંપનીની વ્યાપાર નીતિઓ ઘડવામાં મદદ કરે છે. જો તમે પણ આ પ્રકારનું કામ કરવામાં રસ ધરાવો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

બિઝનેસ એનાલિસ્ટ વ્યાવસાયિક પ્રક્રિયાઓ, ઉત્પાદનો, સેવાઓ અને સૉફ્ટવેરને સુધારવા માટે કંપનીઓ માટે સૂચનો કરવા માટે ડેટા વિશ્લેષણનો ઉપયોગ કરે છે. પ્રોફેશનલ બિઝનેસ મોડલ આપવા ઉપરાંત તેઓ સેક્ટરની આગાહી પણ કરે છે. આ કંપનીઓને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરે છે. વ્યાપાર વિશ્લેષકો તાર્કિક તર્ક અને ડેટાની સારી સમજના આધારે હિતધારકોને વ્યવસાય વિશ્લેષણ, બજેટિંગ, પૂર્વાનુમાન, આયોજન, કિંમત અને દેખરેખ જેવી સેવાઓ પ્રદાન કરે છે.

વ્યવસાય વિશ્લેષકો સીધા ગ્રાહકો સાથે કામ કરે છે. વિશ્લેષકને કાર્ય માટે ડેટાની જરૂર છે. તેના માટે સિસ્ટમો, ઉત્પાદનો અને સાધનોની સામાન્ય સમજ પણ જરૂરી છે. આ સિવાય ઉમેદવારો પાસે સમસ્યા હલ કરવાની કુશળતા, ઉચ્ચ સ્તરની ચોકસાઈ, સંસ્થાકીય કુશળતા, મોડેલિંગ પ્રક્રિયા, નેટવર્કિંગ, ડેટાબેઝ અને ટેકનોલોજીની સમજ હોવી જોઈએ.

શરૂઆતથી જ મળે છે સારો પગાર

જો તમે આ ક્ષેત્રમાં રસ ધરાવો છો તો સૌથી પહેલા તમારે કમ્પ્યુટિંગ, આઇટી, આઇટી મેનેજમેન્ટ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જેવા ક્ષેત્રમાં સ્નાતક હોવું આવશ્યક છે. ત્યાર બાદ તમારે વ્યવસાય, માહિતી તકનીક અથવા કમ્પ્યુટર સિસ્ટમ્સમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવો જોઈએ. આ ક્ષેત્રની ઊંડી સમજણ વિકસાવે છે. બિઝનેસ એનાલિસ્ટ બનવા માટે ઉમેદવારે કમ્પ્યુટર સાયન્સ સ્ટ્રીમમાંથી B.Tech અથવા BE અને બિઝનેસ ઍનલિટિક્સમાં MBA પૂર્ણ કર્યું હોવું જોઈએ. બિઝનેસ એનાલિસ્ટને શરૂઆતમાં લગભગ 50 હજાર રૂપિયા મળે છે. જે બાદ અનુભવના આધારે તેનો પગાર વધે છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમ્સ મળે છે ટેક્સમાં છૂટ, જાણો કઈ સ્કીમ્સ પર કાપવામાં આવે છે TDS

પોસ્ટ ઓફિસ દેશના દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની વીમા યોજનાઓ સાથે આવતી રહે છે. આમાંથી કેટલીક યોજનાઓ પર ટેક્સ કાપવામાં આવે છે અને કેટલીક પર નહીં. Post Office Schemes: જો ગ્રાહકો આ સ્કીમમાં મર્યાદા કરતાં વધુ વ્યવહાર કરે છે, તો તેમણે TDS ચૂકવવો પડશે. આ સાથે, કેટલીક પોસ્ટ ઓફિસ યોજનાઓ પર આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ પણ ઉપલબ્ધ નથી. આવો જાણીએ આ યોજનાઓ વિશે.

પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ એટલે કે FD સ્કીમમાં રોકાણ કરવાથી તમને ઈન્કમ ટેક્સની કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયાની છૂટ મળશે. તે જ સમયે, આ યોજના હેઠળ મળતા વ્યાજ પર TDS લાગુ થાય છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં સામાન્ય લોકો માટે રૂ. 40,000 અને વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 50,000ની TDA મુક્તિ છે. તે જ સમયે, સમાન છૂટ માસિક આવક યોજના પર લાગુ થાય છે. તે જ સમયે, આવકવેરાની કલમ 80C હેઠળ આના પર 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને બચાવો દૂષણથી
Hun To Bolish : હું તો બોલીશ : સંકટ મોટું પણ લૉકડાઉન નહીં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Income Tax Rules 2026: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ઈનકમ ટેક્સના નિયમ, નોકરીયાત લોકોને મોટી રાહત  
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં પવનના સુસવાટા સાથે બે દિવસ વરસાદની આગાહી, જાણો અપડેટ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, 3.0 ફિટમેન્ટ ફેક્ટરથી કેટલો વધશે તમારો પગાર? જાણો 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH Live Streaming: શનિવારથી IPL 19મી સીઝનની શરુઆત, આટલા વાગ્યાથી શરુ થશે મેચ 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
RCB vs SRH, IPL 2026: બેંગ્લુરુમાં IPL ની પ્રથમ મેચ દરમિયાન કેવું રહેશે હવામાન, જાણો 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
ટ્રમ્પના એક નિર્ણયથી સોના-ચાંદીની કિંમતોમાં લાગી આગ! એક ઝાટકે ચાંદીમાં આટલો વધારો, જાણો નવી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત, વારસાઈ સંબંધિત જમીન વ્યવહારમાં માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી લેવાનો નિર્ણય
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
Embed widget