Election 2022 Live: પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ? જાણો જેપી નડ્ડાએ શું કહ્યું
Election 2022: અપર્ણા યાદવે કહ્યું ભાજપ એ પાર્ટી છે જેણે દેશને બચાવ્યો છે. હું એક નવા ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી મોદી સાથે આગળ વધવા માંગું છું.
Background
Election 2022: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવે કહ્યું કે, બહેન-દીકરીઓની સુરક્ષા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જરૂરી છે. બીજેપીમાં જ બહેન-દીકરીઓનું સન્માન સુરક્ષિત છે. મેં રાષ્ટ્રવાદના કારણે ભાજપ પસંદ કર્યો. પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિચારશ્રેણી અને દૂરંદેશીના કારણે સમાજમાં સકારાત્મક બદલાવ થયો છે.
પંજાબમાં ભાજપ કેટલી સીટ પર લડશે ચૂંટણી ?
પંજાબમાં ભાજપ 65 સીટ પર ચૂંટણી લડશે તેમ જેપી નડ્ડાએ જણાવ્યું.
#PunjabPolls | BJP will contest election on 65 seats, Punjab Lok Congress chief on 37 seats & SAD-Sanyukt Chief will contest election on 15 seats: BJP president JP Nadda pic.twitter.com/yRoGGIMyqZ
— ANI (@ANI) January 24, 2022
કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર
ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સચિન પાયલટના પણ નામ છે.





















