શોધખોળ કરો

Fact Check: રાહુલ ગાંધી પર મુકેશ અંબાણીએ કર્યો પલટવાર, વાયરલ થયું નિવેદન? જાણો તેનું સત્ય

પોસ્ટમાં મુકેશ અંબાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમણે રાહુલની પ્રોપર્ટી સહિત અનેક મુદ્દાઓ પર સવાલ પૂછ્યા હતા.

Rahul Gandhi-Mukesh Ambani Fact Check: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને ગૌતમ અદાણી વિશે નિવેદનો આપતા રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રાહુલ ગાંધીને 'ભ્રષ્ટાચારી' ગણાવ્યા હતા.  પોસ્ટમાં મુકેશ અંબાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમણે રાહુલની પ્રોપર્ટી સહિત અનેક મુદ્દાઓ પર સવાલ પૂછ્યા હતા.

જોકે, જ્યારે વિશ્વાસ ન્યૂઝે આ દાવાની તપાસ કરી તો ખબર પડી કે મુકેશ અંબાણીએ આવું કંઈ કહ્યું નથી. તેમણે રાહુલ ગાંધીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું નથી. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મુકેશ અંબાણી અને રાહુલ ગાંધી વિશે શું દાવો કરવામાં આવ્યો હતો અને ફેક્ટ ચેકની તપાસ દરમિયાન શું સત્ય સામે આવ્યું છે.

રાહુલ ગાંધી વિશે શું દાવો કરવામાં આવ્યો છે?

ફેસબુક પર સોશિયલ મીડિયા યુઝર  Bhagirath Malએ JHUNJHUNU RJ18 દ્વારા બનાવેલ પબ્લિક ગ્રુપમાં મુકેશ અંબાણીના પલટવારનું નકલી નિવેદન શેર કર્યું છે. જે પબ્લિક ગ્રુપમાં વાયરલ પોસ્ટ શેર કરવામાં આવી છે તેના 57 હજારથી વધુ સભ્યો છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા સમાન પોસ્ટ શેર કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ રાહુલને લઇને પલટવાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


Fact Check: રાહુલ ગાંધી પર મુકેશ અંબાણીએ કર્યો પલટવાર, વાયરલ થયું નિવેદન? જાણો તેનું સત્ય

ફેક્ટ ચેકમાં નિવેદનને લઇને શું છે સત્ય બહાર આવ્યું?

વાયરલ પોસ્ટને લઈને કરવામાં આવેલા ફેક્ટ ચેક દરમિયાન રાહુલ ગાંધી સાથે જોડાયેલા અનેક એવા રિપોર્ટસ મળી આવ્યા જેમાં તેમણે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું હતું. જો કે, આ સમયગાળા દરમિયાન એક પણ પોસ્ટ મળી નથી જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મુકેશ અંબાણીએ રાહુલ પર પલટવાર કર્યો હતો. સર્ચ દરમિયાન વાયરલ થઈ રહેલી પોસ્ટ જેવી જ અન્ય એક પોસ્ટ મળી આવી હતી. આ 2020 માં શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવે છે કે અનિલ અંબાણીએ પણ રાહુલ પર વળતો પ્રહાર કર્યો હતો.


Fact Check: રાહુલ ગાંધી પર મુકેશ અંબાણીએ કર્યો પલટવાર, વાયરલ થયું નિવેદન? જાણો તેનું સત્ય

તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી પોસ્ટ નવી નથી. તેને અલગ-અલગ સમયે લોકોમાં વાયરલ કરવામાં આવી છે. જ્યારે આ પોસ્ટને લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પીઆર ટીમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ પણ આ ભ્રામક દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો. ટીમે કહ્યું કે આ પોસ્ટ સંપૂર્ણપણે નકલી છે.

ફેક્ટ ચેકમાં શું બહાર આવ્યું?

મુકેશ અંબાણીએ રાહુલ ગાંધી પર પલટવાર કરવાના દાવા સાથે શેર કરેલી પોસ્ટ નકલી અને બનાવટી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પોસ્ટમાં કરાયેલા દાવાને હકીકત સાથે કાંઇ લેવાદેવા નથી અને તે સંપૂર્ણ રીતે કાલ્પનિક છે.

Disclaimer: This story was originally published by Vishvas News, and translated by ABP Live as part of the Shakti Collective 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget