શોધખોળ કરો

નૉ ટેન્શન..... નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ કોઇ એક સાથ છોડે તો પણ આસાનીથી બનશે મોદી સરકાર, સમજો આખુ સમીકરણ

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. પક્ષોની વાત કરીએ તો એનડીએના નેતૃત્વમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ આ વખતે તે એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. બીજીબાજુ કોંગ્રેસ 99 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે. તો સમાજવાદી પાર્ટીને 37 અને TMCને 29 બેઠકો મળી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા. એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે, પછી બધાની નજર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે, જેઓ 'કિંગમેકર' તરીકે ઉભરી આવ્યા છે. ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ દાવો કરે છે કે તે સરકાર પણ બનાવી શકે છે. તે વારંવાર નીતિશ અને નાયડુનું નામ લઈ રહ્યાં છે. 

તો શું નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડે તો ભાજપ સરકાર નહીં બનાવી શકે ? ચાલો સમજીએ આખુ સમીકરણ…

NDAનું સમીકરણ 
પહેલા વાત કરીએ બીજેપીની આગેવાની હેઠળની એનડીએની, જે લોકસભાની ચૂંટણી પહેલા ઘણા પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનમાં છે. નીતિશની પાર્ટી જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પણ આ ગઠબંધનમાં સામેલ છે. એનડીએને ચૂંટણીમાં 293 બેઠકો મળી છે, જે બહુમતીના 272ના આંકડા કરતા 21 બેઠકો વધુ છે. એટલે કે એનડીએ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 બેઠકો મેળવી છે, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. જો આપણે એનડીએ ગઠબંધનમાં ત્રણ સાથી પક્ષોની બેઠકો ઉમેરીએ - ચંદ્રાબાબુ નાયડુ (16 બેઠકો), એકનાથ શિંદે (7 બેઠકો) અને નીતિશ કુમાર (12 બેઠકો), તો આ ખોટ પુરાઇ જાય છે.

નાયડુ કે નીતિશ વિના કઇ રીતે સરકાર બનાવવી સંભવ ? 
ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાસે 16 બેઠકો છે. ધારો કે જો તેલુગુ દેશમ પાર્ટી NDA ગઠબંધન છોડી દે તો પણ NDA પાસે બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં 4 વધુ બેઠકો (293-16=277) હશે. એટલે કે મોદીની સરકાર બનશે.

જો નીતિશ કુમાર NDA છોડી દે છે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 281 (293-12=281) થઈ જશે. બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં આ 9 વધુ છે. મતલબ કે એનડીએ નીતિશ કુમાર વિના પણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

અપક્ષ અને નાના પક્ષો નિર્ણાયક 
બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ વખતે 7 અપક્ષ અને 11 નાની પાર્ટીના સાંસદો જીત્યા છે. તે ના તો એનડીએ ગઠબંધનમાં છે કે ના તો ઈન્ડિયા એલાયન્સમાં. આમાંથી ઘણા ભાજપના ભૂતપૂર્વ સાથી છે. આવી સ્થિતિમાં તેઓ એનડીએમાં જોડાય તેવી શક્યતા વધુ છે. એટલે કે દરેક પરિસ્થિતિમાં એનડીએનો હાથ ઉપર હોય તેવું લાગે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના પૂર્વ શિક્ષણ મંત્રીનું ઘર ફૂંક્યું, મંત્રીએ કહ્યું- ભારતને ઉશ્કેરી રહી છે યુનુસ સરકાર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
T20 વર્લ્ડ કપ ટીમમાં આ 5 ખેલાડીઓને નહીં મળે જગ્યા; 3 તો હતા 2024 ચેમ્પિયન ટીમનો ભાગ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
Embed widget