શોધખોળ કરો

નૉ ટેન્શન..... નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ કોઇ એક સાથ છોડે તો પણ આસાનીથી બનશે મોદી સરકાર, સમજો આખુ સમીકરણ

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે

Lok Sabha Chunav Result 2024: લોકસભા ચૂંટણી 2024માં એનડીએ ગઠબંધનને 293 બેઠકો મળી અને બહુમતનો આંકડો પાર કર્યો. બીજીબાજુ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. પક્ષોની વાત કરીએ તો એનડીએના નેતૃત્વમાં ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ આ વખતે તે એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. બીજીબાજુ કોંગ્રેસ 99 બેઠકો સાથે ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે. તો સમાજવાદી પાર્ટીને 37 અને TMCને 29 બેઠકો મળી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો સાથે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા. એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે, પછી બધાની નજર નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પર છે, જેઓ 'કિંગમેકર' તરીકે ઉભરી આવ્યા છે. ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ દાવો કરે છે કે તે સરકાર પણ બનાવી શકે છે. તે વારંવાર નીતિશ અને નાયડુનું નામ લઈ રહ્યાં છે. 

તો શું નીતિશ કુમાર કે ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડે તો ભાજપ સરકાર નહીં બનાવી શકે ? ચાલો સમજીએ આખુ સમીકરણ…

NDAનું સમીકરણ 
પહેલા વાત કરીએ બીજેપીની આગેવાની હેઠળની એનડીએની, જે લોકસભાની ચૂંટણી પહેલા ઘણા પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધનમાં છે. નીતિશની પાર્ટી જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી પણ આ ગઠબંધનમાં સામેલ છે. એનડીએને ચૂંટણીમાં 293 બેઠકો મળી છે, જે બહુમતીના 272ના આંકડા કરતા 21 બેઠકો વધુ છે. એટલે કે એનડીએ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપે એકલા હાથે 240 બેઠકો મેળવી છે, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. જો આપણે એનડીએ ગઠબંધનમાં ત્રણ સાથી પક્ષોની બેઠકો ઉમેરીએ - ચંદ્રાબાબુ નાયડુ (16 બેઠકો), એકનાથ શિંદે (7 બેઠકો) અને નીતિશ કુમાર (12 બેઠકો), તો આ ખોટ પુરાઇ જાય છે.

નાયડુ કે નીતિશ વિના કઇ રીતે સરકાર બનાવવી સંભવ ? 
ચંદ્રાબાબુ નાયડુની ટીડીપી પાસે 16 બેઠકો છે. ધારો કે જો તેલુગુ દેશમ પાર્ટી NDA ગઠબંધન છોડી દે તો પણ NDA પાસે બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં 4 વધુ બેઠકો (293-16=277) હશે. એટલે કે મોદીની સરકાર બનશે.

જો નીતિશ કુમાર NDA છોડી દે છે તો NDA ગઠબંધનની સીટો ઘટીને 281 (293-12=281) થઈ જશે. બહુમત માટે જરૂરી 272 બેઠકો કરતાં આ 9 વધુ છે. મતલબ કે એનડીએ નીતિશ કુમાર વિના પણ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

અપક્ષ અને નાના પક્ષો નિર્ણાયક 
બીજી એક મહત્વની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ વખતે 7 અપક્ષ અને 11 નાની પાર્ટીના સાંસદો જીત્યા છે. તે ના તો એનડીએ ગઠબંધનમાં છે કે ના તો ઈન્ડિયા એલાયન્સમાં. આમાંથી ઘણા ભાજપના ભૂતપૂર્વ સાથી છે. આવી સ્થિતિમાં તેઓ એનડીએમાં જોડાય તેવી શક્યતા વધુ છે. એટલે કે દરેક પરિસ્થિતિમાં એનડીએનો હાથ ઉપર હોય તેવું લાગે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
Putin India Visit Live: 'તમારી યાત્રા ઐતિહાસિક, ભારત-રશિયા...', પુતિન સાથે મિટિંગમાં શું બોલ્યા પીએમ મોદી
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી,  EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
RBI Repo Rate:હોમ લોન થશે સસ્તી, EMI ઘટશે, RBIએ વ્યાજ દર 0.25% ઘટાડ્યો
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
IndiGo Crisis: આખરે કેમ મોડી પડી રહી છે ઈન્ડિગો ફ્લાઇટ? પાયલોટ યુનિયનના આરોપોથી વધ્યો તણાવ
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
Embed widget