શોધખોળ કરો

Rahul Gandhi On Ayodhya: અયોધ્યામાં ભાજપની હારનું કારણ રાહુલ ગાંધીએ બતાવ્યું, જાણો શું કહ્યું

Rahul Gandhi On Ayodhya: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. આ જીત બાદ રાહુલ ગાંધી આભાર સભાને સંબોધિત કરવા મંગળવારે (11 જૂન) રાયબરેલી પહોંચ્યા હતા

Rahul Gandhi On Ayodhya: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટ પરથી જંગી જીત મેળવી છે. આ જીત બાદ રાહુલ ગાંધી આભાર સભાને સંબોધિત કરવા મંગળવારે (11 જૂન) રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલે અયોધ્યામાં ભાજપની હારનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું - અયોધ્યા બેઠક હારી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ. તમે તેના ઉદ્ઘાટન સમયે ગરીબ માણસને જોયો ન હતો. તેથી જ અયોધ્યાની જનતાએ પ્રતિક્રિયા આપી છે.

રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું. એકપણ ગરીબ વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ઉદ્ઘાટનમાં એકપણ ખેડૂત, એક મજૂર, એક પછાત, એક દલિત જોવા મળ્યો ન હતો. આદિવાસી પ્રમુખને કહેવામાં આવ્યું કે તે આમાં આવી શકે નહીં. તમે જોયું જ હશે કે અદાણી, અંબાણી ઊભા હતા, ઉદ્યોગપતિ ઊભા હતા, આખું બૉલીવુડ ઊભું હતું. ક્રિકેટની ટીમો ઊભી હતી, પરંતુ એક પણ ગરીબ ન હતો, તો અયોધ્યાની જનતાએ જવાબ આપ્યો છે.

વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડતી તો હારી જતા મોદી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડી હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત. રાહુલે કહ્યું, "ભારતે આ ચૂંટણીમાં સંદેશો આપ્યો છે કે અમને નરેન્દ્ર મોદીજીનું 'વિઝન' પસંદ નથી. અમને નફરત નથી જોઈતી, હિંસા નથી જોઈતી. આપણને પ્રેમની દુકાન જોઈએ છે. દેશ માટે એક નવા 'વિઝન'ની જરૂર છે. જો દેશને નવું 'વિઝન' આપવું હોય તો ઉત્તરપ્રદેશમાંથી જ આપવું પડશે અને ઉત્તરપ્રદેશે એવો સંદેશ આપ્યો છે કે રાજ્ય અને દેશમાં અમને ઇન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ જોઈએ છે.

અયોધ્યા બેઠક પર ભાજપની હારનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, અયોધ્યાની જનતાએ જવાબ આપી દીધો છે. અયોધ્યામાં જ નહીં, વારાણસીમાં પણ વડાપ્રધાન પોતાનો જીવ બચાવીને નીકળ્યા છે. હું મારી બહેન (પ્રિયંકા વાડ્રા)ને કહું છું કે જો તે વારાણસીમાંથી ચૂંટણી લડી હોત તો આજે વડાપ્રધાન વારાણસીની ચૂંટણી બે-ત્રણ લાખ મતોથી હારી ગયા હોત.

તેમણે કહ્યું, "હું આ અહંકારથી નથી કહી રહ્યો, પરંતુ કારણ કે જનતાએ વડાપ્રધાનને સંદેશ આપ્યો છે કે અમને તેમની રાજનીતિ પસંદ નથી. અમે વિકાસ ઈચ્છીએ છીએ." તમે આ દેશમાં 10 વર્ષથી બેરોજગારી, નફરત અને હિંસા ફેલાવી. જનતાએ વડાપ્રધાનને જવાબ આપ્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh | ભારે વરસાદથી ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો જોઈને તમે પણ થઈ જશો ખુશ Watch VideoHurricane Helene| હેલેને હચમચાવી દીધું અમેરિકાને, 30 લોકોના મોત | Watch VideoGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાંGir Somnath | હજારો પોલીસ કર્મીઓ સાથે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું અલર્ટ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
Mumbai Terror Attack Alert: મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ, પોલીસ આવી એક્શનમાં, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
જગન મોહન રેડ્ડીની તિરૂપતિ યાત્રા પર કેમ લાગી રોક, જાણો શું છે લાડૂ વિવાદનું સત્ય
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Mushir Khan Accident: ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન કાર અકસ્માતમાં ઘાયલ, જાણો કેટલી ગંભીર છે ઈજા
Rain Forecast:ચોમાસાની વિદાયનો સમય નજીક પરંતુ વરસાદનું જોર યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Rain Forecast:ચોમાસાની વિદાયનો સમય નજીક પરંતુ વરસાદનું જોર યથાવત, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Embed widget