શોધખોળ કરો

‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ પર સેન્સર બૉર્ડે ફેરવી કાતર, કેટલાક સીન અને ડાયલૉગ થયા એડિટ

ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે.

મુંબઈ: અજય દેવગનની બહુ ચર્ચિત ઐતિહાસિક ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે સેન્સર બૉર્ડે આ ફિલ્મના કેટલાક સીન પર કાતર ફેરવી દીધી છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્ય અને મુગલો વચ્ચે વચ્ચે યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં નજર આવશે. ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે. બૉલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, એક સીનમાં સૈફ અલી ખાનનું પાત્ર ઉદયભાન કહે છે કે, હું માત્ર રાજપૂત. તેમાંથી રાજપૂત શબ્દ હટાવી દેવાયો છે. ગોલી, નૌકરાની અને નીચા ખૂન જેવા શબ્દ અને લાઈન પણ હટાવી દીધી છે. અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર રિલીઝ ફિલ્મમાં એક સીન એવું હતું કે જેમાં ઉદયભાન પોતાના માતાની હત્યા કરતો દેખાડવામાં આવ્યો હતો. તે સીન પણ એડિટ કરવામાં આવ્યું છે. એક ડાયલૉગની ડબિંગ પણ સૈફ પાસે ફરી કરાવવામાં આવી, જેથી અર્થનો અનર્થ ન થાય. આ સિવાય બોર્ડે કેટલાક સીન પર ડિસ્ક્લેમર લગાવવાનના નિર્દેશ પણ આપ્યા છે. જેની શરૂઆત ફિલ્મની શરૂઆતથી જ થાય છે. એક ડિસ્ક્લેમરમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં મરાઠા શબ્દનો અર્થ મરાઠા સમુદાય નથી, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકોને મરાઠા કહીને સંબોધિત કર્યા છે. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’તાનાજી માલુસરેના જીવનથી પ્રેરિત કાલ્પનિક પ્રદર્શન છે. તાનાજી ફિલ્મને ઓમ રાઉતે નિર્દેશિત કરી છે. અજય દેવગન સાથે કાજોલ પણ છે. જે સાવિત્રીભાઈની ભૂમિકા ભજવી રહી છે. શરદ કેલ્કર શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Embed widget