શોધખોળ કરો

‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’ પર સેન્સર બૉર્ડે ફેરવી કાતર, કેટલાક સીન અને ડાયલૉગ થયા એડિટ

ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે.

મુંબઈ: અજય દેવગનની બહુ ચર્ચિત ઐતિહાસિક ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે સેન્સર બૉર્ડે આ ફિલ્મના કેટલાક સીન પર કાતર ફેરવી દીધી છે. આ ફિલ્મ મરાઠા સામ્રાજ્ય અને મુગલો વચ્ચે વચ્ચે યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં નજર આવશે. ઐતિહાસિક ફિલ્મોને લઈને હંમેશા વિવાદ થતો રહે છે. એવામાં સીબીએફસીએ ‘તાનાજી’ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને ડાયલૉગ્સ પર વાંધો ઉઠાવ્યો હતો અને તેને હટાવવા કહ્યું છે. બૉલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, એક સીનમાં સૈફ અલી ખાનનું પાત્ર ઉદયભાન કહે છે કે, હું માત્ર રાજપૂત. તેમાંથી રાજપૂત શબ્દ હટાવી દેવાયો છે. ગોલી, નૌકરાની અને નીચા ખૂન જેવા શબ્દ અને લાઈન પણ હટાવી દીધી છે. અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર રિલીઝ ફિલ્મમાં એક સીન એવું હતું કે જેમાં ઉદયભાન પોતાના માતાની હત્યા કરતો દેખાડવામાં આવ્યો હતો. તે સીન પણ એડિટ કરવામાં આવ્યું છે. એક ડાયલૉગની ડબિંગ પણ સૈફ પાસે ફરી કરાવવામાં આવી, જેથી અર્થનો અનર્થ ન થાય. આ સિવાય બોર્ડે કેટલાક સીન પર ડિસ્ક્લેમર લગાવવાનના નિર્દેશ પણ આપ્યા છે. જેની શરૂઆત ફિલ્મની શરૂઆતથી જ થાય છે. એક ડિસ્ક્લેમરમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં મરાઠા શબ્દનો અર્થ મરાઠા સમુદાય નથી, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકોને મરાઠા કહીને સંબોધિત કર્યા છે. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘તાનાજી ધ અનસંગ વૉરિયર’તાનાજી માલુસરેના જીવનથી પ્રેરિત કાલ્પનિક પ્રદર્શન છે. તાનાજી ફિલ્મને ઓમ રાઉતે નિર્દેશિત કરી છે. અજય દેવગન સાથે કાજોલ પણ છે. જે સાવિત્રીભાઈની ભૂમિકા ભજવી રહી છે. શરદ કેલ્કર શિવાજી મહારાજના રોલમાં જોવા મળશે. જ્યારે સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget