શોધખોળ કરો
આ વ્યક્તિને 2 વર્ષ પહેલા જ ખબર હતી 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો...?'
1/4

સુશાંતે પોતાના જવાબમાં લખ્યું હતું, મારું માનવું છે, અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવને એક જ યુવતી દેવસેના સાથે પ્રેમ થઈ જાય છે. દેવસેના ભલ્લાલદેવની જગ્યાએ અમરેન્દ્રને તેના દયાળુ સ્વભાવને કારણે પસંદ કરે છે. પોતાનું રાજ્ય અને પ્રેમિકા ખોવાના કારણે ભલ્લાલેવ નિરાશ થઈ જાય છે. પોતાના પિતાની સાથે મળીને ભલ્લાલદેવ અમરેન્દ્ર વિરૂદ્ધ ષડયંત્ર બનાવે છે અને રાજમાતા શિવગામીને કોઈપણ રીતે મનાવી લે છે અને તે અમરેન્દ્ર બાહુબલીને મારવાનો આદેશ આપે છે. જોકે કટપ્પાને અમરેન્દ્ર પસંદ હોય છે. તેમ છતાં તે રાણીનો આદેશ માને છે અને બાહુબલીને મારે છે. તેને આ વાતનો સમગ્ર જીવન પસ્તાવો રહે છે અને પોતાની ભૂલને સુધારવા માટે એક તક શોધે છે.
2/4

આ યુવક કરોડો રૂપિયાના સવાલનો જવાબ જાણતો હતો અને તેનો જવાબ તેણે ક્યૂરા (Quora) પર આપ્યો હતો. ક્યૂરા પર આ સવાલ પોસ્ટ કરવામાં આવ્યો કે 'કટપ્પાએ બાહુબલીને શા માટે માર્યો?' આ સવાલના જવાબમાં અનેક જવાબ આવ્યા પરંતુ સુશાંત દહલે 2 વર્ષ પહેલા આપેલ જવાબ એકદમ સ્પષ્ટ અને ચોક્કસ હતો.
Published at : 10 May 2017 12:56 PM (IST)
View More






















