શોધખોળ કરો
બોલીવુડ એક્ટર અક્ષય ખન્નાની માતા અને વિનોદ ખન્નાની પ્રથમ પત્નીનું નિધન, જાણો વિગત
1/4

ગીતાજંલિ અને વિનોદ ખન્ના બાળપણના મિત્રો હતા અને લાંબા અફેર બાદ બંનેએ 1971માં લગ્ન કરી લીધા હતા. લગ્નજીવનના 14 વર્ષ બાદ બંનેએ 1985માં છૂટાછેડા લીધા હતા. વિનોદ ખન્નાએ અચાનક ઓશો સંન્યાસી બનવાનો ફેંસલો લીધા બાદ બંને અલગ થઈ ગયા હતા.
2/4

મુંબઈઃ દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની અને અક્ષય ખન્નાની માતા ગીતાજંલિ ખન્નાનું શનિવારે મોડી રાતે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના માંડવા પાસે આવેલા તેમના ફાર્મહાઉસમાં મોત થયું હતું. ગીતાજંલિના મોતનું કારણ જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ તેમની તબિયત શનિવાર બપોરથી જ ખરાબ હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
Published at : 16 Dec 2018 03:23 PM (IST)
View More





















