શોધખોળ કરો

Affair : ઋષભ પંતનું નામ સાંભળતા જ ઉર્વશીએ અકળાઈને કહી દીધું કે...

આ વાતની એક ઝલક આઈફા એવોર્ડમાં જ જોવા મળી હતી. આઈફા ઈવેન્ટ માટે અબુધાબી પહોંચેલી અભિનેત્રી ઉર્વશીને જ્યારે ક્રિકેટર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે જ આ સવાલ ટાળી દીધો હતો.

Urvashi Rautela latest News: જ્યારે પણ ક્રિકેટર ઋષભ પંતની વાત થાય છે ત્યારે બોલિવુડની જાણીતિ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ઉલ્લેખ ના થાય તો જ નવાઈ. ઋષભ પંતના નામ સાથે ઉર્વશીનું નામ આપોઆપ જ જોડાય જાય છે. જ્યારે જ્યારે પણ ઉર્વશી રૌતેલાની વાત થાય છે ત્યારે ઋષભ પંતનું નામ જીભ પર આવી જાય છે. પરંતુ એવું લાગે છે કે, હવે ઉર્વશીએ ઋષભ અને તેના નામથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. 

આ વાતની એક ઝલક આઈફા એવોર્ડમાં જ જોવા મળી હતી. આઈફા ઈવેન્ટ માટે અબુધાબી પહોંચેલી અભિનેત્રી ઉર્વશીને જ્યારે ક્રિકેટર વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટપણે જ આ સવાલ ટાળી દીધો હતો.

ઉર્વશીને ઋષભની તબિયત વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે...

હાલના દિવસોમાં અબુ ધાબીમાં આઈફા ઈવેન્ટ થઈ રહી છે. જેમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પહોંચ્યા છે. ઉર્વશી રૌતેલા પણ તેમાંથી એક છે. જે હાલમાં પોતાની સ્ટાઈલને લઈને ખૂબ ચર્ચામાં છે, આ દરમિયાન એક નાનકડા ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઋષભ પંત હવે ઘણો સ્વસ્થ થઈ ગયો છે, તો તમે તેને શું શુભેચ્છાઓ આપવા માંગો છો? ઉર્વશીએ આ પ્રશ્ન ખૂબ જ શાંતિથી સાંભળ્યો અને પછી કહ્યું હતું કે, આ આઈફા છે. આપણે ફિલ્મો, કલાકારોની ઉજવણી કરી રહ્યા છીએ, તેથી આપણે માત્ર ફિલ્મોની વાત કરીએ, ક્રિકેટની નહીં.

મતલબ કે ઉર્વશીએ સંપૂર્ણ રીતે નક્કી કરી લીધું છે કે, હવે તે ઋષભ અને તેના વિચારોથી પોતાને દૂર રાખશે. જો કે આ પહેલા બંને વચ્ચે કેવા સંબંધો હતા તે બધા જાણે છે. એક સમય એવો હતો જ્યારે તેમની વચ્ચે અફેરના સમાચાર આવ્યા હતા. પરંતુ અચાનક જ ખબર નહીં એવું તે શું થયું કે, સોશિયલ મીડિયા પર તેમના શબ્દોના યુદ્ધે ઘણી ચર્ચા જગાવી. બીજી તરફ, જ્યારે ઋષભ પંતનો અકસ્માત થયો હતો અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, ત્યારે હોસ્પિટલની બહારની તસવીર ઉર્વશીએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી. જેના કારણે બંને વચ્ચે કંઈક હોવાની ફરી એકવાર ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ હવે ઉર્વશીએ ના પાડી દીધી છે. તેના પ્રશ્નનો જવાબ આપવા માટે પણ તે ઈનકાર કરી રહી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

Urvashi Rautela Pics: ઉર્વશી રૌતેલાએ ક્રિકેટ સ્ટેડિયમથી શેર કરી રહસ્યમય પોસ્ટ, કેપ્શનમાં લખ્યું- 'એક ઘાયલ હૃદય'

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ઉર્વશી રૌતેલાની એક યા બીજી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આ દરમિયાન ગુરુવારે ઉર્વશીએ ક્રિકેટ ગ્રાઉન્ડની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. જેના કેપ્શનમાં ઉર્વશી રૌતેલાએ ઘાયલ દિલ સાથે એક વાત લખી છે. હવે ઉર્વશી રૌતેલાની આ રહસ્યમય પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

ઉર્વશી રૌતેલાએ લેટેસ્ટ તસવીરો શેર કરી

ગુરુવારે ઉર્વશી રૌતેલાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. ઉર્વશી રૌતેલાની આ તસવીર દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમની છે, જ્યાં ઉર્વશી હાલમાં જ દિલ્હી કેપિટલ્સ ટીમની IPL મેચ જોવા પહોંચી હતી. આ ફોટામાં તમે જોઈ શકો છો કે ઉર્વશી રૌતેલા લાઇટ ગ્રીન રંગનો વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાની આ લેટેસ્ટ તસવીરોમાં તેની બેક સાઈડ દેખાઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget