શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અજય દેવગનનું કોરોના વાયરસ પર બનાવેલુ ગીત 'ઠહર જા' રિલીઝ, લોકોને આપી ખાસ સલાહ
અજય દેવગને લોકોને જાગૃત કરવા માટે કોરોના વાયરસ પર 'ઠહર જા' (Thahar Ja) ગીત ગાયુ છે. આના મારફતે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે
![અજય દેવગનનું કોરોના વાયરસ પર બનાવેલુ ગીત 'ઠહર જા' રિલીઝ, લોકોને આપી ખાસ સલાહ ajay devgn sung a song on coronavirus thahar ja અજય દેવગનનું કોરોના વાયરસ પર બનાવેલુ ગીત 'ઠહર જા' રિલીઝ, લોકોને આપી ખાસ સલાહ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/29142306/ajay-tamil-film.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, દેશના તમામ સ્ટાર્સ કોરોના સામે જાગૃતિ ફેલાવવા માટે અવનવા અખતરા કરી રહ્યાં છે, હવે એક્ટર અજય દેવગને આ માટે એક ખાસ ગીત ગાયુ છે, જે રિલીઝ પણ કરી દેવાયુ છે.
અજય દેવગને લોકોને જાગૃત કરવા માટે કોરોના વાયરસ પર 'ઠહર જા' (Thahar Ja) ગીત ગાયુ છે. આના મારફતે લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.
ખાસ વાત છે કે, 'ઠહર જા' ગીતને ખુદ અજય દેવગને પ્રૉડ્યૂસ કર્યુ છે, આ ગીતને મેહુલ વ્યાસે ગાયુ છે, આના શબ્દો અનિલ વર્માએ લખ્યા છે. ગીતમાં કોરોનાના કારણે દેશમાં ઉભી થયેલી સ્થિતિમાં લોકો કેવી રીતે એકબીજાની મદદ કરી રહ્યાં છે, આ વાતને દર્શાવાઇ છે.
અજય દેવગને 'ઠહર જા' ગીતનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે. લખ્યુ- રુકો અને પ્રાર્થના કરો, આપણે આ વાવાઝોડાનો એકસાથે સામનો કરીશું, સુરક્ષિત રહો, ખુશ રહો, પોતાનાઓ માટે 'ઠહર જા'.....
નોંધનીય છે કે, આ પહેલા અક્ષય કુમારે પણ તેરી મિટ્ટી ગીત થીમ પર ડૉક્ટરોને સન્માન આપ્યુ હતુ, હવે અજયે પણ ખાસ ગીત મારફતે દેશવાસીઓને જાગૃત કરવા પ્રયાસ કર્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)