શોધખોળ કરો
Advertisement
અમિત શાહના મંત્રાલયે કંગનાને સુરક્ષા અંગે લીધો શું મોટો નિર્ણય? કંગના ક્યારે જવાની છે મુંબઈ?
આ બધાની વચ્ચે હવે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય હૉમ મિનીસ્ટ્રીએ કંગનાને આ સુરક્ષા આપી છે. આ માટે કંગનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે
મુંબઇઃ શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે થોડાક દિવસો પહેલા એક્ટ્રેસ કંગના રનૌતને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી, આ પછી કંગના કહ્યું હતું કે મુંબઇ કોઇના બાપની નથી, અને 9 સપ્ટેમ્બરે તેને મુંબઇ આવવાનો પડકાર ફેંક્યો હતો. આ વાતને લઇને શિવસેનાએ ખુબ વિરોધ કર્યો હતો.
આ બધાની વચ્ચે હવે કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય હૉમ મિનીસ્ટ્રીએ કંગનાને આ સુરક્ષા આપી છે. આ માટે કંગનાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
કંગના રનૌતે ટ્વીટ કરીન વાય કેટેગરીની સુરક્ષા મળવાની પુષ્ટી કરી છે, કંગનાએ કહ્યુ કે, આ પ્રણામ છે કે હવે કોઇ દેશભક્ત અવાજને કોઇ ફાસીવાદી નથી કચડી શકતો, હું અમિત શાહજીની આભારી છુ તે ઇચ્છતા, તો પરિસ્તિતિ બાદ થોડાક દિવસો પછી મુંબઇ જવની સલાહ આપતા પરંતુ તેમને ભારતની દીકરીના વચનોનુ માન રાખ્યુ, અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની લાજ રાખી, જય હિન્દ....
થોડાક પહેલા કંગના રનૌતે એક ટ્વીટ કરીને મુંબઇમાં જવાનો પડકાર ફેંક્યો હતો, કંગનાએ ટ્વીટમાં લખ્યું- હું જોઇ રહી છું કેટલાક લોકો મને મુંબઇ પાછી ના આવવાની ધમકી આપી રહ્યાં છે, એટલા માટે મે નક્કી કર્યુ છે કે 9 સપ્ટેમ્બરે મુંબઇ આવીશ. હું મુંબઇ એરપોર્ટ પર પહોંચીને ટાઇમ પૉસ્ટ કરીશ, કોઇના બાપમાં હિંમત હોય તો રોકી લો.
કંગનાનુ કહેવુ છે કે શિવસેના નેતા સંજય રાઉતે તેને મુંબઇમાં ના આવવાની ધમકી આપી હતી. આ મુદ્દે સંજય રાઉતે કંગનાને સબૂત ભેગા કરીને પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપી હતી.
શિવસેના સાંસદ સંજય રાઉતે ગુરુવારે કહ્યું હતું કે, અભિનેત્રી કંગના રનૌતને ટ્વીટર પર નિવેદનબાજી કરવાની જગ્યાએ સબૂતોની સાથે પોલીસનો સંપર્ક કરવો જોઇએ, અને સાબિત કરવુ જોઇએ કે તેને (કંગનાને) ધમકી આપી હતી.
સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા અભિનેત્રીનુ નામ લીધા વિના કહ્યું કે ટ્વીટર પર નિવેદનબાજી કર્યા વિના કોઇ સબૂતોની સાથે પોલીસ અને સરકારનો સંપર્ક કરવો જોઇએ. આ પહેલા કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું- શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે હું મુંબઇ પાછી ના આવુ. પહેલા મુંબઇના રસ્તાંઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની જેવુ કેમ લાગી રહ્યું છે?..
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ક્રિકેટ
Advertisement