શોધખોળ કરો

Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત

Emergency Release date: કંગના રનૌતની મોસ્ટ અવેટેડેટ ફિલ્મ ‘ઈમરજન્સી’ને ફાઇનલી રિલીઝ ડેટ મળી ગઈ છે.

Emergency Release date: કંગના રનૌતની મોસ્ટ અવેટેડેટ ફિલ્મ ‘ઈમરજન્સી’ને ફાઇનલી રિલીઝ ડેટ મળી ગઈ છે. ચાહકોની લાંબી રાહનો અંત લાવતા કંગનાએ આ અંગેની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે અને હવે તે આવતા વર્ષે 17 જાન્યુઆરીએ રિલીઝ થશે.

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ અંગેની જાહેરાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ફિલ્મની રિલીઝ ડેટ આવી ગઈ છે. કંગનાએ લખ્યું- 17 જાન્યુઆરી 2025 – દેશની સૌથી શક્તિશાળી મહિલાની મહાકાવ્ય ગાથા અને તે ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. ઇમરજન્સી પરનો પડદો હટશે થિયેટર્સમાં.

આ સાથે અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો પણ અપડેટ કર્યો છે જેમાં તે ઇવેન્ટનું ઉદ્ઘાટન કરતી જોવા મળી હતી. ઈમરજન્સીના સેટ પર લેવાયેલા આ ફોટોમાં કંગના હાથ જોડીને પ્રમાણ કરતી જોવા મળી હતી. બાકીના ક્રૂ પણ તેને સાથે નમસ્કાર કરતા જોવા મળી રહ્યા છે. કંગનાની આ જાહેરાતથી ફેન્સનો ઉત્સાહ વધી રહ્યો છે.

કંગનાના હોમ પ્રોડક્શન બેનર મણિકર્ણિકા ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી અભિનેત્રીએ પોતે લીધી છે. આ પ્રોજેક્ટ સફળ થવા માટે તેમના માટે કેટલું મહત્વનું છે તે કોઈનાથી છૂપાયેલ નથી. ફિલ્મની રિલીઝ ડેટ સતત મુલતવી રાખવાથી કંગના લાંબા સમયથી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

ઈમરજન્સી પહેલા 14 જૂન, 2024ના રોજ રીલિઝ થવાની હતી, પરંતુ કંગનાના રાજકીય પ્રચારના કારણે તેણે તેને સ્થગિત કરવી પડી હતી. ત્યારપછી તેની રિલીઝ ડેટ 6 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે ફિલ્મ પર ઉઠાવવામાં આવેલા અનેક વાંધાઓએ તેના પ્રોજેક્ટને ગ્રહણ લગાડી દીધું હતું. કારણ કે આ ફિલ્મ ઈન્દિરા ગાંધી અને દેશમાં લગાવાયેલી ઈમરજન્સી પર આધારિત હોવાથી તેના પર અનેક સવાલો ઉભા થયા હતા.

આ ફિલ્મ લાંબા સમય સુધી વિવાદોમાં ફસાયેલી રહી અને સેન્સર બોર્ડમાં અટવાઈ રહી હતી. શીખ સંગઠનોના વિરોધ બાદ પણ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. શીખોનો આરોપ છે કે ફિલ્મે તેમના સમાજની ખોટી છબી રજૂ કરી છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ બહાર આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

સીબીએફસીએ પહેલા ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ જ્યારે શીખ સમુદાયનો ગુસ્સો સામે આવ્યો અને લોકો વિરોધમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા હતા ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે હજુ સુધી મેકર્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આદેશ આપ્યો કે પ્રમાણપત્ર આપતા પહેલા શીખોના વાંધાઓ પર પણ ધ્યાન આપવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
Tv પર વાપસી કરવા જઈ રહ્યો છે અક્ષય કુમાર, 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'માં જોવા મળશે, જાણો કેવો હશે ગેમ શો?
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
'અભ્યાસ માટે રશિયા ગયો હતો, યુદ્ધમાં ધકેલી દીધો...', મોરબીના યુવકે PM મોદીને મોકલ્યો મેસેજ
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
મેસેજ અસલી છે કે નકલી આ રીતે ઓળખો, TRAIએ જણાવી રીતો
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Embed widget