શોધખોળ કરો

Sunny Bungalow: સની દેઓલનો બંગલો નહીં વેચાય, હરાજીની વાત પર અચાનક આવ્યો યુ-ટર્ન, જાણો શું છે હકીકત

ગુરદાસપુરના સાંસદ ડિસેમ્બરથી અત્યાર સુધી બેન્ક ઓફ બરોડામાંથી 55.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરી શક્યો નથી. બેન્કે આ વસૂલી માટે હરાજીની નોટિસ આપવામાં આવી હતી.

Sunny Deol Juhu Bungalow: બૉક્સ ઓફિસ પર અત્યારે સની દેઓલની ગદર-2 ધમાલ મચાવી રહી છે, સતત કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ગદર-2ના બંગલાની હરાજીના સમાચારે જોર પકડ્યુ છે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. બેન્ક ઓફ બરોડા સની દેઓલના બંગલાની હરાજી નહીં કરે. બેન્કે નોટિસ પાછી ખેંચી લીધી છે. જાહેર ક્ષેત્રની બેન્કે આજે એક નિવેદનમાં કહ્યું કે તેને અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલના મુંબઈમાં જુહુ બંગલાની હરાજીની નોટિસ પાછી ખેંચી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, લૉન ના ચૂકવવાને કારણે બેન્કે રવિવારે અજયસિંહ દેઓલ ઉર્ફે સની દેઓલના નામે બંગલાની હરાજી કરવા માટે અખબારમાં નોટિસ આપી હતી. બેન્કે કહ્યું હતું કે તેની હરાજી 25 સપ્ટેમ્બરે કરવામાં આવશે. સની દેઓલ પર બેન્કનું લગભગ 56 કરોડ રૂપિયાનું દેવું છે.

ગુરદાસપુરના સાંસદ ડિસેમ્બરથી અત્યાર સુધી બેન્ક ઓફ બરોડામાંથી 55.99 કરોડ રૂપિયાની ચૂકવણી કરી શક્યો નથી. બેન્કે આ વસૂલી માટે હરાજીની નોટિસ આપવામાં આવી હતી. આ હરાજીની મૂળ કિંમત 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

સની દેઓલનો આ બંગલો 599.44 ચોરસ મીટરમાં ફેલાયેલો છે, જેમાં સની વિલા અને સની સાઉન્ડ્સ છે. તેની હરાજી કરવાની પણ તૈયારી હતી. સની સાઉન્ડ્સ દેઓલની માલિકીની કંપની છે. આ માટે સની દેઓલે બેન્કમાંથી લૉન લીધી હતી અને સની દેઓલના પિતા ધર્મેન્દ્રને ગેરન્ટર બનાવ્યા હતા.

બંગલામાં કઇ કઇ ખાસિયતો છે - 
સની દેઓલના આ બંગલામાં પાર્કિંગથી લઈને પૂલ, મૂવી થિયેટર, હેલિપેડ એરિયા, ગાર્ડન બધું જ છે. આ ઉપરાંત તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ બંગલો જોવામાં એકદમ લક્ઝૂરિયસ છે અને તેની આસપાસ કુદરતી સૌંદર્ય છે.

સની દેઓલની નેટવર્થ - 
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે અને તે દરેક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે. જોકે તેને ગદર-2 ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget