![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Katrina Vicky Wedding: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ , જાણો શું છે સમગ્ર ઘટના?
નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ યોજાશે. બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા રવાના થયા હતા.
![Katrina Vicky Wedding: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ , જાણો શું છે સમગ્ર ઘટના? Vicky-Katrina Wedding: Complaint Filed Against Celebrity Couple, Venue Manager, DC Katrina Vicky Wedding: કેટરિના કૈફ અને વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ , જાણો શું છે સમગ્ર ઘટના?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/06/54bea442f959950557e21a4803ff619b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Katrina Vicky Wedding Event: બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટર વિરુદ્ધ જયપુરના ચૌથ માતા મંદિર જવાનો રસ્તો બંધ કરવાની ફરિયાદ થઇ છે. આ રસ્તો લગ્નના વેન્યૂ સિક્સ સેન્સેસ ફોર્ટની સામે થઇને ચૌથ માતા મંદિર જાય છે. લગ્નના કારણે ફોર્ટની સામેનો રસ્તો ખૂબ વ્યસ્ત જોવા મળી રહ્યો છે. આ મામલામાં વકીલ નેત્રબિંદુ સિંહ જાદૌને ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કેટરિના કૈફ, વિક્કી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટરનું નામ સામેલ છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચૌથ માતા મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને ટાંકવામાં આવ્યો છે. તે સાથે જ કેટરિના –વિક્કીના લગ્ન દરમિયાન આ રસ્તો ખુલ્લો રાખવાની માંગ કરવામાં આવી છે.
Actors Vicky Kaushal and Katrina Kaif leave from Mumbai for their wedding in Sawai Madhopur, Rajasthan pic.twitter.com/Pymtn7qcnp
— ANI (@ANI) December 6, 2021
નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરના રોજ યોજાશે. બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને કેટરિના કૈફ પોતાના લગ્ન માટે રાજસ્થાન જવા રવાના થયા હતા. વિક્કી પોતાના ગાર્ડ્સ સાથે એરપોર્ટ પર સ્પોર્ટ થયો હતો. બે દિવસ બાદ તે કેટરિના કૈફ સાથે લગ્ન કરશે. વિક્કી એરપોર્ટ પર લોકોને હસતા હસતા રિસ્પોન્ડ કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ કેટરિના કૈફ પણ પોતાની માતા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)