શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TV એક્ટ્રેસ મોહના કુમારી સહિત પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ, સતપાલ મહારાજ સાથે છે ખાસ સંબંધ
મોહના કુમારીના લગ્ન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા.
![TV એક્ટ્રેસ મોહના કુમારી સહિત પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ, સતપાલ મહારાજ સાથે છે ખાસ સંબંધ Coronavirus Pandemic Yeh Rishta Kya Kehlata Hai actress Mohena Kumari and family members test covid 19 positive TV એક્ટ્રેસ મોહના કુમારી સહિત પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ, સતપાલ મહારાજ સાથે છે ખાસ સંબંધ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/02163419/Yeh-Rishta-Kya-Kehlata-Hai-actress-Mohena-Kumari-and-family-members-test-covid-19-positive.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેહરાદૂનઃ દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈકાલે જાણીતા સંગીતકાર વાજિદ ખાનનું નિધન થયું હતું ત્યાં વધુ એક અભિનેત્રી મોહના કુમારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.
જાણીતી ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હૈની એક્ટ્રેસ મોહના કુમારીને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. મોહના કુમારીના પતિ સુયશ, સસરા અને ઉત્તરાખંડના મંત્રી સતપાલ મહારાજ, જેઠાણી આરાધ્યા અને તેના પાંચ વર્ષના પુત્ર સહિત તેમના ઘરમાં કામ કરતાં 17 લોકોને કોરોના થયો છે. હાલ તમામ ઋષિકેશની એઇમ્સમાં દાખલ છે.
મોહનાએ એબીપી ન્યૂઝને કહ્યું, આપણા ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી હોય છે. અમે ઝડપથી આમાંથી મુક્ત થઈ જઈશું અને ઠીક થઈને ઘરે આવીશું. મોહના કોવિડ-19ની ઝપેટમાં બાદ હોસ્પિટલમાં છે અને ક્વોરન્ટાઈનના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરી રહી છે.View this post on Instagram
View this post on Instagram
મોહના કુમારીના લગ્ન ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે હરિદ્વારમાં થયા હતા. મોહના-સુયનાએ લગ્ન બાદ આપેલા રિસેપ્શનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)