દિલીપ જોષીએ કહ્યું હતું કે, હું આ સમાચારથી ચોંકી ગયો હતો અને આ બહુ જ દુ:ખદ ઘટના છે. મને આ વિષે મારી ટીમના મિત્રોએ જણાવ્યું હતું. હું મારા પરિવાર સાથે લંડનમાં છું. જ્યારે આ ઘટના બની ત્યારે નજીકના લોકોને ફોન કરવાનું શરૂ કરી દીધું હતું. હું હજુ પણ વિશ્વાસ નથી કરી રહ્યો કે કવિ કુમાર આઝાદ આપણી વચ્ચે નથી.
2/5
દિલીપ જોષીએ પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પોતાના સહ કલાકારના નિધન પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. લંડનમાં એક ફેમિલી ટ્રિપ પર ગયેલ અભિનેતાએ કહ્યું હતું કે, કવિ કુમાર આઝાદના નિધનના સમાચાર સાંભળ્યા બાદ હું પણ શોકમાં ગરકાવ થઈ ગયો છું.
3/5
દિશાએ એક અખબારને જણાવ્યું હતું કે, તેઓ રિયલ જિંદગીમાં હતા તેવા જ ઓન સ્ક્રીન પણ તેવા જ જોવા મળતાં હતાં. તેમને ખાવાનું બહુ જ પસંદ હતું અને દરેક જગ્યાના ખાવાના વખાણ કરતાં હતાં. મને યાદ છે કે હું પ્રેગ્નેન્ટ હતી તે દરમિયાન તેઓ મારા માટે ગુબાલજાંબુ લઈને આવ્યા હતાં. જ્યારે મેં તેમના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે હું મારી જાતને સંભાળી શકી નહોતી.
4/5
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી દયાભાભી (દિશા વાકાણી)એ વાત કરતા પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે કવિ કુમાર આઝાદ અમારી વચ્ચે નથી. આ ચોંકવનારી વાત છે. તે બહુ ખાસ લોકોમાંથી એક હતાં.
5/5
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના કલાકાર કવિ કુમાર આઝાદ એટલે ડો. હાથીનું અચાનક હાર્ટ અટેકના કારણે તેમનું નિધન થયું હતું જેના કારણે ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં શોકમાં ગરકાવ થઈ ગયું છે. દુખદ સમાચાર બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમે શૂટિંગ રદ્દ કર્યું હતું. દિલીપ જોષી અને દિશા વાકાણી જે સીરિયલમાં જેઠાલાલ અને દયાબેનની ભૂમિકા નિભાવી રહ્યા છે જેઓ કવિ કુમાર આઝાદના નિધનના સમાચાર સાંભાળીને જ ચોંકી ગયા હતાં.