શોધખોળ કરો
પદ્માવતની જેમ હવે ફિલ્મ ‘વીરમદેવી’નો વિરોધ, સની લિયોનીને હટાવવાની માંગ, જાણો વિગત
1/5

પદ્માવતની રિલીઝ પહેલા રાજપૂત સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો. ફિલ્મ રાજપૂતોની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમાં તેનું નામ બદલીને રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં દીપિકા પાદૂકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર મુખ્ય રોલમાં હતા.
2/5

વીરમદેવી ફિલ્મ પદ્માવત અને બાહુબલીની જેવી પીરિયડ ફિલ્મ છે. તેમાં સની લિયોની એક યોદ્ધાના રૂપમાં જોવા મળશે. તેણે આ અંગે થોડા સમય પહેલા જણાવ્યું હતું કે, હું આ પીરિયડ ફિલ્મને સાઇન કરીને ખુશ છું. યુદ્ધ કૌશલ્ય, ઘોડેસવારી, તલવારબાજી અને ફાઇટિંગનો મોકો મળે તેમ હું પહેલાથી જ ઈચ્છતી હતી. દરેક એક્ટ્રેસ ભજવવા માંગે તેવું આ પાત્ર છે. સની લિયોનીની આ પ્રથમ સાઉથ ઈન્ડિયન ફિલ્મ છે.
Published at : 24 Oct 2018 12:52 PM (IST)
View More





















