સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ પૂરમાં ફસાયેલા પ્રાણીઓની મદદ કરવા માંગે છે. જાનવરોને શક્ય તેટલી વહેલી મદદ પહોંચે તેમ તેઓ ઈચ્છે છે.
2/4
બર્મિંઘમઃ કેરળમાં પૂરના કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. બોલિવૂડ સેલેબ્સ પણ પૂર પીડિતો માટે આગળ આવ્યા છે. રાહત ફંડમાં અનેક સેલેબ્સે દાન આપ્યું છે. આ દરમિયાન એક કપલ એવું પણ છે જેમણે પૂર પીડિતો ઉપરાંત પૂરમાં ફસાયેલા જાનવરોની પણ ચિંતા છે.
3/4
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ, એક ટ્રક સ્પોન્સર કર્યો છે. જે કેરળ પૂરમાં ફસાયેલા જાનવરો માટે ફૂડ અને દવાઓની મદદ પહોંચાડશે. આ માટે તેઓ કેરળના સ્થાનિક એનજીઓની સાથે પણ સંપર્કમાં છે. આ એનજીઓ 8 લોકોની રેસ્ક્યૂ ટીમને મોકલી રહી છે.
4/4
બુધવારે બર્મિંઘમમાં જીત બાદ કોહલીએ કહ્યું કે, અમે આ સફળતાને કેરળના પૂર પીડિતોને સમર્પિત કરીએ છીએ. તેની સાથે જ વિરાટ કોહલીએ આ શાનદાર જીતનો શ્રેય પત્ની અનુષ્કાને પણ આપ્યો હતો.