શોધખોળ કરો
રિતેશ દેશમુખ અને જેનેલિયાએ મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે આપ્યા 25 લાખ રૂપિયા
દેવેંદ્ર ફડણવીસે લખ્યું, 'મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવા માટે ધન્યવાદ જેનેલિયા અને રિતેશ દેશમુખ.'

બોલીવૂડ સ્ટાર અને રીયલ લાઈફ કપલ રિતેશ અને જેનેલિયા દેશમુખે મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાની મદદ કરી છે. મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે દાન માટે બંનેનો આભાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે સોમવારે એક તસવીર ટ્વિટ કરી હતી, જેમાં આ સ્ટાર ખફલ મુખ્યમંત્રીને ચેક આપતા જોવા મળ્યા હતા.
દેવેંદ્ર ફડણવીસે લખ્યું, 'મહારાષ્ટ્રમાં પૂર પીડિતો માટે મુખ્યમંત્રી રાહત કોષમાં 25 લાખ રૂપિયાનું યોગદાન આપવા માટે ધન્યવાદ જેનેલિયા અને રિતેશ દેશમુખ.'Thank you Riteish and Genelia Deshmukh for the contribution of ₹25,00,000/- (₹25 lakh) towards #CMReliefFund for #MaharashtraFloods ! @Riteishd @geneliad pic.twitter.com/Y6iDng2epD
— Devendra Fadnavis (@Dev_Fadnavis) August 12, 2019
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આવેલા વિનાશક પૂરના કારણે ધણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સરકાર દ્વારા પૂર પ્રભાવિત ક્ષેત્રો સાંગલી, કોલ્હાપૂર અને સતારામા 432 રાહત શિબિરોમાં 3.78 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















