શોધખોળ કરો

Kapil Sharma : કૃષ્ણા અભિષેકે 'ધ કપિલ શર્મા શો'માં કમબેકને લઈ તોડ્યું મૌન

એક તરફ જ્યાં જૂન મહિનામાં થોડા સમય માટે શો બંધ થવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કૃષ્ણા અભિષેક ફરી એકવાર શોમાં પરત ફરશે.

Krushna Abhishek On 'The Kapil Sharma Show': 'ધ કપિલ શર્મા શો' છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. એક તરફ જ્યાં જૂન મહિનામાં થોડા સમય માટે શો બંધ થવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કૃષ્ણા અભિષેક ફરી એકવાર શોમાં પરત ફરશે. આ શોમાં કૃષ્ણા 'સપના'નું પાત્ર ભજવતો હતો. ચાર વર્ષ સુધી કપિલના શોનો હિસ્સો રહેલા કૃષ્ણા અભિષેકે વર્તમાન સિઝન છોડવાનો નિર્ણય લીધો હતો. કહેવાય છે કે, કોન્ટ્રાક્ટમાં કેટલીક સમસ્યાઓના કારણે આમ થયું હતું. હવે કહેવામાં આવી રહ્યું છે કે, 10 દિવસ પહેલા મેકર્સે ફરી એકવાર કૃષ્ણાનો સંપર્ક કર્યો છે અને તેને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે.

'બોમ્બે ટાઈમ્સ' સાથેની વાતચીતમાં કૃષ્ણાએ પુષ્ટિ કરી છે કે, શો મેકર્સે તેમની સાથે વાત કરી છે. પરંતુ સાથે જ કોમેડિયન-એક્ટરનું કહેવું છે કે મામલો ફરી પૈસા પર આવીને અટકી પડ્યો છે. આ સમાચારની પુષ્ટિ કરતા કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે, 'હા, મને કપિલ શર્મા શોના નિર્માતાઓનો ફોન આવ્યો હતો. તેઓ ઈચ્છે છે કે હું શોમાં પાછો ફરું. જો કે, અમે હજુ સુધી પૈસા અને કોન્ટ્રાક્ટને લઈને અંતિમ વાટાઘાટો સુધી પહોંચ્યા નથી. મામલો ફરી પૈસા પર અટક્યો છે.

'આ સિઝનમાં નહીં, આગામી સિઝનમાં ફરી આવશે'

ક્રિષ્ના કહે છે કે, તેને આશા છે કે તે ભવિષ્યમાં શોમાં પરત ફરશે. જો કે, તેણે વર્તમાન સિઝનમાં દર્શાવવાની શક્યતાને નકારી કાઢી છે. તેનું કહેવું છે કે, આ સિઝનમાં આવું નહીં થાય. હું આગામી સિઝનમાં પરત ફરવાની આશા રાખું છું. કપિલ અને ક્રિષ્ના ફરી એક વાર સાથે આવી રહ્યા છે તે દર્શકો માટે એક ટ્રીટ હશે, ખરું ને?

કપિલ અને કૃષ્ણા

જૂનમાં 'ધ કપિલ શર્મા શો'માં વધુ એક બ્રેક લેવાની ચર્ચા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોની નવી સીઝન થોડા મહિના પછી આવશે. ક્રિષ્ના આ વિશે કહે છે, 'મને આ વિશે કોઈ માહિતી નથી. મને શો ગમે છે અને હું તેના મેકર્સ સાથે પ્રેમમાં છું. હું હંમેશા તેની સાથે ખૂબ જ સારો સંબંધ રહ્યો છે. હું આ વખતે કપિલ શર્મા શોનો ભાગ બનવાનું ચૂકી ગયો છું. હું અર્ચનાજી અને કપિલ સાથે ખૂબ જ અટેચ્ડ છું. અર્ચનાજી સાથે મારો 15 વર્ષનો સંબંધ છે. મારે કબૂલ કરવું જોઈએ કે જ્યારે હું શોમાં જોડાયો ત્યારે હું કપિલની એટલી નજીક ન હતો, પરંતુ હવે જ્યારે મેં તેની સાથે કામ કર્યું છે અને સમય વિતાવ્યો છે, ત્યારે હું તેને ખરેખર પસંદ કરું છું.'

શો દરમિયાન કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક

કૃષ્ણા અભિષેકના શોમાંથી અચાનક બહાર નીકળી જવાને લઈને અનેક ચર્ચાઓ અને અફવાઓ શરૂ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે, કપિલ શર્મા શોમાં તેના કો-સ્ટાર્સની વધતી લોકપ્રિયતાથી અસુરક્ષિત અનુભવવા લાગ્યો હતો. પરંતુ કૃષ્ણાએ આ વાતોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે. તેનું કહેવું છે કે, કપિલ ઘણીવાર આવી પાયાવિહોણી અફવાઓનો શિકાર બને છે. જો તે ના ઈચ્છતો હોત કે, હું શોમાં ચમકું તો શોમાં ચાર વર્ષ ટકી શકત નહીં. શો દરમિયાન અનેક સેલિબ્રિટીઓએ મારા કામની પ્રશંસા કરી છે. જો તેને ખરેખર મારી સાથે કોઈ સમસ્યા હોય, તો તે સરળતાથી તે ભાગને એડિટ કરાવી શક્યો હોત. પણ હકીકત એ છે કે, કપિલને આ બાબતોની કોઈ પરવા નથી અને તે ખૂબ જ સુરક્ષિત કલાકાર છે.

કૃષ્ણાએ કહ્યું હતું કે- કપિલ શર્માને મારી સફળતા પર ગર્વ

કપિલ વિશે વાત કરતાં ક્રિષ્ના આગળ કહે છે, 'તે જાણે છે કે જ્યારે કોઈ અભિનેતા ચમકે છે ત્યારે આખા શોને ફાયદો થાય છે. છેવટે, તે ટીમવર્ક છે. એકબીજાની પ્રતિભા અને કાર્યને લઈને અમારી વચ્ચે સહકારની ભાવના છે. કપિલ ખૂબ જ સ્વીટ વ્યક્તિ છે. મને તેની સાથે શોમાં કામ કરવાનું ગમ્યું અને તેણે પણ તેનો આનંદ લીધો. તે મારી સફળતાઓ પર ગર્વ લે છે, જેમ હું તેના પર ગર્વ અનુભવું છું. આપણી વચ્ચે નકારાત્મકતા માટે કોઈ સ્થાન નથી. એટલા માટે અમારી ટીકા કરનારાઓએ આ માટે તકો શોધવાનું બંધ કરવું જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
'બહાર ખાવા જઈએ તો અડધા પૈસા આપવાનું કહે છે પતિ', છૂટાછેડા માટે કોર્ટ પહોંચી મહિલા
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
Embed widget