શોધખોળ કરો

 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં Disha Vakani ની નહી થાય વાપસી, અસિત મોદીએ શું કર્યો મોટો ખુલાસો?

જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે

Taarak Mehta Ka Ooltah Chashmah: જાણીતા કોમેડી શો  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીના ચાહકો છેલ્લા 5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. જેઠાલાલ સાથેની તેમની કેમેસ્ટ્રી અને કોમિક ટાઈમિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. બીજી વખત માતા બન્યા પછી ચાહકો અંદાજ લગાવી રહ્યા હતા કે દિશા કદાચ શોમાં પાછી ફરી શકે છે, પરંતુ હવે તે શક્ય નથી.

દિશા વાકાણીની જગ્યાએ નવી દયાબેન જોવા મળશે

હા, દિશા વાકાણી હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં જોવા નહીં મળે. જો કે લાંબા સમય બાદ શોમાં દયાબેનના રોલમાં અન્ય કોઈ જોવા મળશે. શોના નિર્માતા અસિત મોદીએ 'ઈ-ટાઇમ્સ' સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો છે કે દિશા વાકાણી આ શોમાં દયાબેન તરીકે જોવા મળશે નહીં. દયાબેનના પાત્ર માટે ઓડિશન ચાલી રહ્યા છે, ટૂંક સમયમાં નવી અભિનેત્રી દયાબેનનું પાત્ર ભજવશે.

દિશા વાકાણી પરત ફરે તેવી અપેક્ષા હતી

આસિત મોદીએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી દિશાની આ શોમાં દયાબેન તરીકેની રાહ જોવાઇ રહી હતી. તેણે પ્રેગ્નેન્સી દરમિયાન મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તે શોમાંથી ગાયબ છે. નિર્માતાએ કહ્યું, “અમને દિશાને બદલવામાં આટલો સમય લાગ્યો કારણ કે દિશાએ લગ્ન પછી થોડો સમય કામ કર્યું. બાદમાં તેણી મેટરનીટી લીવ લીધી હતી. બાદમાં બાળકની સંભાળ માટે રજા ચાલુ રાખી હતી. તેણે ક્યારેય નોકરી છોડી નથી. અમને આશા હતી કે દિશા પાછી આવશે, પરંતુ પછી કોરોના મહામારી આવી. અમે સાવધાની સાથે શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે સમયે દિશા કોરોના મહામારીમાં શૂટિંગ કરતાં ડરી ગઈ હતી.

અસિત મોદીએ વધુમાં કહ્યું કે, કોરોના બાદ તેમણે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ હતી, પરંતુ હવે તે આવી શકશે નહીં. તેમણે કહ્યું, “અમે તેની રાહ જોવાનું નક્કી કર્યું હતું કારણ કે તે શો સાથે લાંબા સમયથી સંકળાયેલી છે. તાજેતરમાં તેણીએ બીજા સંતાનને જન્મ આપ્યો છે જેથી તે હવે શોમાં પાછી આવી શકશે નહી અમે નવી દયાબેનની શોધમાં છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
Embed widget