શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસના કહેર વચ્ચે આજથી શરૂ થશે 'રામાયણ' અને 'મહાભારત'નું પ્રસારણ
કોરોના વાયરસના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. ત્યારે આજથી રામાયણ અને મહારાભારતનું પ્રસારણ કરવામાં આવશે.
![કોરોના વાયરસના કહેર વચ્ચે આજથી શરૂ થશે 'રામાયણ' અને 'મહાભારત'નું પ્રસારણ The broadcast of 'Ramayana' and 'Mahabharata' will start from today કોરોના વાયરસના કહેર વચ્ચે આજથી શરૂ થશે 'રામાયણ' અને 'મહાભારત'નું પ્રસારણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/28134558/ramayana-and-mahabharata.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કોરોના વાયરસના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકો પોતાના ઘરમાં કેદ છે. ત્યારે આજથી રામાયણ અને મહારાભારતનું પ્રસારણ કરવામાં આવશે. સવારે 9 અને રાત્રીના 9 વાગ્યે દૂરદર્શન પર રામાયણ પ્રસારિત કરવામાં આવશે તો ડીડી ભારતી પર બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાભારત પ્રસારિત કરાશે.
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે 'મહાભારત'નું પ્રસારણ ડીડી ભારતી પર કાલથી શરૂ કરવામાં આવશે. કેંદ્ર સરકારે એન્ટરટેનમેન્ટ માટે 80ની દશકની સૌથી પોપ્યૂલર સીરિયલ મહાભારતનું પ્રસારણ ફરી એક વખત શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રકાશ જાવડેકરે જાહેરાત કરતા કહ્યું જનતાની માંગ પર શનિવાર 28 માર્ચથી મહાભારતનું પ્રસારણ ડીડી ભારતી પર શરૂ થશે. તેમણે કહ્યું પ્રસારણ દિવસમાં બે વખત બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી કહ્યું હતું કે, આવતી કાલથી દુરદર્શન પર 'રામાયણ' સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. નોંધનીય છે કે, રામાનંદ સાગરની 'રામાયણ'નું પ્રસારણ વર્ષ 1987માં થયું હતું. જેને લોકોએ જે તે સમયે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)