શોધખોળ કરો

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ફ્લેટનો દરવાજો તોડીને ક્રૂ મેમ્બર્સે જોયું તો અભિનેતા બેભાન હાલતમાં મળ્યા, પરિવારમાં પત્ની અને સાત વર્ષનો પુત્ર

Yogesh Mahajan death reason: 'શિવ શક્તિ- તબ ત્યાગ તાંડવ' સિરિયલમાં ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા યોગેશ મહાજનનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે રવિવાર, ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અંતિમ શ્વાસ લીધા. ૨૩ વર્ષીય ટીવી એક્ટર અમન જયસ્વાલના રોડ અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ આ ઘટનાથી ટીવી જગતમાં ફરી એકવાર શોકનું મોજુ ફરી વળ્યું છે.

'આજ તક'ના અહેવાલ મુજબ, અભિનેતા યોગેશ મહાજનનું તેમના ફ્લેટમાં નિધન થયું હતું. તેમનું એપાર્ટમેન્ટ શૂટિંગના સેટની નજીક હતું. જ્યારે તેઓ શૂટિંગ માટે ન આવ્યા ત્યારે ક્રૂ મેમ્બર્સે તેમના ઘરે જઈને તપાસ કરી હતી. લાંબા સમય સુધી દરવાજો ન ખુલતા આખરે તેઓએ દરવાજો તોડવો પડ્યો હતો. યોગેશ મહાજન ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું નિધન થઈ ગયું હતું. તબીબોએ પણ તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. તેમના સહ કલાકારો આઘાતમાં છે અને તેમના રમૂજી સ્વભાવના વખાણ કરી રહ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, યોગેશ મહાજનનું નિધન હાર્ટ એટેકના કારણે થયું છે. તેઓનો ફ્લેટ સેટ એરિયામાં જ આવેલો છે. નિયત સમયે તેઓ શૂટિંગ માટે ન પહોંચતા ક્રૂ મેમ્બર્સ તેમને શોધવા તેમના ફ્લેટ પર ગયા હતા. દરવાજો ખખડાવવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે દરવાજો તોડવામાં આવ્યો હતો. જ્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

યોગેશ મહાજનના પરિવારમાં તેમની પત્ની અને સાત વર્ષનો પુત્ર છે. તેમના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના અંતિમ સંસ્કાર ૨૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે ગોરારી-૨ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. ૧૯૭૬માં એક ખેડૂત પરિવારમાં જન્મેલા યોગેશ મહાજન કોઈપણ ગોડફાધર વિના ઈન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા હતા. તેમણે મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું.

યોગેશ મહાજનના નિધનના સમાચાર તેમના સહકલાકારો માટે પણ આઘાતજનક છે. તેમની કો-સ્ટાર આકાંક્ષા રાવતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે યોગેશ એક જીવંત અને ખુશમિજાજ વ્યક્તિ હતા. તેઓ છેલ્લા એક વર્ષથી સાથે કામ કરી રહ્યા હતા અને આ સમાચારથી તેઓ અત્યંત દુઃખી છે.

યોગેશ મહાજનના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રીએ એક પ્રતિભાવાન કલાકાર ગુમાવ્યા છે. તેમના ચાહકો અને સહકલાકારો તેમને હંમેશા યાદ રાખશે.

આ પણ વાંચો...

શાંતિનિકેતને જીત્યો ગોલ્ડન કૈલાસ એવોર્ડ, અજંતા-ઇલોરા ફિલ્મ ફેસ્ટિવલની ભવ્ય પૂર્ણાહુતિ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Embed widget