શોધખોળ કરો

શેફાલી જરીવાલાના નિધન પર મહારાષ્ટ્રના મંત્રી યોગેશ કદમનું મોટું નિવેદન: "કોઈ શંકા છે તો.... "

અભિનેત્રીનું મૃત્યુ રહસ્યમય: પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ ખસેડાયો, પોલીસ દ્વારા અપાર્ટમેન્ટની તપાસ શરૂ.

Shefali Jariwala Death News: બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને 'કાંટા લગા' ગર્લ તરીકે લોકપ્રિય બનેલી શેફાલી જરીવાલાના શુક્રવારે (જૂન 27) રાત્રે થયેલા આકસ્મિક નિધનના સમાચારથી ફિલ્મ અને ટીવી જગત સહિત તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુઃખદ ઘટના બાદ મહારાષ્ટ્રના રાજ્યમંત્રી યોગેશ કદમનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે તપાસની દિશા અંગે સંકેત આપ્યા છે.

મંત્રી યોગેશ કદમનું નિવેદન

રત્નાગિરીમાં મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રી શેફાલી જરીવાલાના મૃત્યુ અંગે રાજ્યમંત્રી યોગેશ કદમે જણાવ્યું હતું કે, "જે પણ ઘટના બની છે, પોલીસે બધી માહિતી એકત્રિત કરી છે અને તપાસ ચાલી રહી છે. જો કોઈ ગેરરીતિની શંકા હશે, અથવા કોઈ ફરિયાદ સામે આવશે, તો અમે ચોક્કસપણે તે દ્રષ્ટિકોણથી પણ તપાસ કરીશું." તેમનું આ નિવેદન સૂચવે છે કે જો મૃત્યુના કારણ અંગે કોઈ શંકા ઉભી થશે તો પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરશે.

મૃત્યુનું કારણ અકબંધ, પોલીસ તપાસ શરૂ

શેફાલી જરીવાલાને તેમના પતિ, અભિનેતા પરાગ ત્યાગી દ્વારા મુંબઈની બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને રાત્રે 11:15 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.

મુંબઈ પોલીસે જણાવ્યું છે કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે 'મોબાઇલ ફોરેન્સિક યુનિટ' અને મુંબઈ પોલીસની એક ટીમ ગોલ્ડન રેઝ-વાય બિલ્ડિંગમાં સ્થિત અભિનેત્રીના એપાર્ટમેન્ટમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હોવાથી રહસ્ય ઘેરાયું છે.

શેફાલી જરીવાલાની કારકિર્દી

શેફાલી જરીવાલા 2002 માં 'કાંટા લગા' ગીતથી સમગ્ર ભારતમાં લોકપ્રિય થઈ હતી, જે 1972 ની ફિલ્મ 'સમાધિ' ના લતા મંગેશકરના જૂના ગીતનું રિમિક્સ હતું. તેણે તેના પતિ પરાગ ત્યાગી સાથે ડાન્સ શો 'નચ બલિયે' અને ત્યારબાદ 'બિગ બોસ 13' જેવા રિયાલિટી શોમાં ભાગ લઈને પણ લોકપ્રિયતા મેળવી હતી. તેના મૃત્યુના એક અઠવાડિયા પહેલા, શેફાલીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે શૂટિંગ માટે તૈયાર થઈ રહી હતી, જે તેના ચાહકો માટે છેલ્લી યાદગીરી બની રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેપાર, ક્રૂડ ઓઈલ અને નાગરિકોનો જીવ: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષની ભારત પર શું થશે અસર?
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
ભારત પાસે કેટલા દિવસનું ક્રૂડ ઓઇલ બચ્યું છે? ઈરાન-ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલશે તો ભારતની શું છે તૈયારી? જાણો વિગતે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
Assam Election: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ગૌરવ ગોગોઈ જોરહાટથી લડશે
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય! રશિયા પાસેથી ખરીદશે 5 નવી S-400 ડિફેન્સ સિસ્ટમ
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
અમદાવાદ-વડોદરાની સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપનાર પકડાયો, જાણો શું છે આખું કાવતરું?
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ચંદ્રગ્રહણ 2026: ગ્રહણ પત્યા પછી તરત જ કરો આ 3 કામ, નહિતર આખું વર્ષ પસ્તાવો થશે
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Gold Silver Rate: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સોના-ચાંદીમાં મોટો ઘટાડો, એક ઝાટકે 18000 રુપિયા ઘટી કિંમત
Embed widget