શોધખોળ કરો
શા માટે અલ્પેશ ઠાકોરે 23મી ફેબ્રુઆરીએ ટાટા નેનો પ્લાન્ટને તાળું મારી દેવાની આપી છે ચિમકી? જાણો
1/6

તેમણે જણાવ્યું હતું કે, સરકારી મદદ લઈને રાજ્યમાં જે ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમણે સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગાર આપવાના કાયદાનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. જો કાયદાનું ચુસ્તપણે પાલન નહીં થાય તો શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આવા તમામ ઉદ્યાગોને તાળાં મારી દેવાશે.
2/6

તેમણે ચિમકી આપી હતી કે, અમે ટાટા નેનોથી આંદોલનની શરૂઆત કરીશું અને ત્યારબાદ હોન્ડા, મારુતિ જેવી બીજી મોટી કંપનીઓને પણ તાળાં મારીશું. અમારી માંગણી છે કે, અમારા યુવાનોને નોકરી આપો અને તમારા ઉદ્યોગો સુખેથી ચલાવો, નહીંતર જમીન ખાલી કરો. હવે સમય પાકી ગયો છે કે આ પ્રકારના ઉદ્યોગોને સબક શીખવાડાય.
Published at : 31 Jan 2017 11:38 AM (IST)
View More























