શોધખોળ કરો
પૂર્વ IPS ડી. જી. વણઝારાએ રાજકારણમાં જોડાવા અંગે શું કર્યો ખુલાસો, જાણો
1/4

વણઝારાએ નવો પક્ષ બનાવશે કે કોઈ પક્ષમાં જોડાશે તે સવાલનો જવાબ આપતાં કહ્યું, તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય અને નવો પક્ષ પણ નહીં બનાવે, કારણ કે પ્રજાપક્ષ એ જ મારો પક્ષ છે. પરંતુ રાજનીતિમાં પ્રવેશ કરી દેશ અને રાજ્યનું કલ્યાણ કરવા માટે પોતે બિલકુલ ફિટ અને અડીખમ છે. દેશનું કલ્યાણ કરવું હોય તો હિંદુ સમાજમાં પ્રવર્તી રહેલા જાતિઓના વાડાને દૂર કરવા જરૂરી હોવાનું તેમણે જણાવ્યુ હતું.
2/4

વણઝારાએ રાજ્યના અનેક વિસ્તારમાં સામાજિક સંમેલનો યોજ્યા છે ત્યારે લોકો તેમને તેઓ રાજકારણમાં આવશે કે કેમ તેવું પૂછતાં રહે છે. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું લોકનીતિના માર્ગમાં રાષ્ટ્રનીતિ અને રાજનીતિ આવે છે, જેથી તેઓ રાજનતિમાં ચોક્કસ પ્રવેશ કરશે, પરંતુ રાજકારણથી દૂર રહેશે.
Published at : 11 Sep 2017 03:29 PM (IST)
Tags :
DG VanzaraView More























