શોધખોળ કરો

મોટો ધડાકો: રામ મંદિર કેસમાં AAP નેતા સંજય સિંહને SIT નું સમન્સ, આવતીકાલે હાજર થવા આદેશ

sanjay singh ram mandir scam: સંજય સિંહે સોશિયલ મીડિયા પર માહિતી આપતા કહ્યું કે તેમની પાસે જમીન અને પ્રસાદ કૌભાંડના ઘણા પાક્કા પુરાવા છે, જે તેઓ 25 જૂને લખનૌમાં SIT અધ્યક્ષને સોંપશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • SITએ રામ મંદિર કૌભાંડમાં સંજય સિંહને પુરાવા આપવા બોલાવ્યા.
  • સંજય સિંહે 25 જૂને SITને પુરાવા સોંપવાની પુષ્ટિ કરી.
  • તેમણે ચંપત રાય પર જમીન ખરીદીમાં ગંભીર આક્ષેપો કર્યા.
  • ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે SITની રચના કરી છે.

sanjay singh ram mandir scam: અયોધ્યા રામ મંદિરના પ્રસાદ અને જમીન ખરીદી કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમન્સ મોકલીને પુરાવા રજૂ કરવા બોલાવ્યા છે. સંજય સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે અને દાવો કર્યો છે કે તેમની પાસે આ કૌભાંડને લગતા ઘણા ચોક્કસ દસ્તાવેજો છે, જે તેઓ SIT ને સોંપશે.

સંજય સિંહે વીડિયો શેર કરી આપી માહિતી

AAP નેતા સંજય સિંહે પોતાના X (ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમને 25 જૂને સવારે 11 વાગ્યે લખનૌમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં બોલાવવામાં આવ્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, "મારે તમને એ જણાવવું છે કે મને 25 જૂને સવારે 11 વાગ્યે બોલાવાયો છે. મેં પોતે પણ સમય માંગ્યો હતો. હું કાલે જઈશ અને SIT ની ટીમને આ કેસ સંબંધિત તમામ માહિતી અને પુરાવા સોંપીશ. જય હિંદ, જય શ્રી રામ."

ચંપત રાય પર લગાવ્યા ગંભીર આક્ષેપો

નોંધનીય છે કે, રામ મંદિરમાં પ્રસાદ અને દાનના મુદ્દે સંજય સિંહ લાંબા સમયથી આક્રમક છે અને સતત ભાજપ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક દસ્તાવેજો બતાવ્યા હતા. સંજય સિંહે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો હતો કે, ચંપત રાયે 2 કરોડ રૂપિયાની જમીન 18.5 કરોડમાં, 3 કરોડની જમીન 24 કરોડમાં અને 9 કરોડની જમીન 55.47 કરોડ રૂપિયામાં ખરીદી છે.

ભાજપ પર નિશાન સાધતા શું કહ્યું?

સંજય સિંહે બુધવારે કરેલી પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, "મારી પાસે આ કૌભાંડના તમામ પુરાવા છે, પણ SIT એ મને હજુ સુધી બોલાવ્યો નહોતો. ફંડ ચોરો હજુ પણ ટ્રસ્ટમાં કેવી રીતે બેઠા છે? મોદીજીએ ટ્રસ્ટ બનાવ્યું, પણ લૂંટાયેલા પૈસા ભાજપ પાસે ગયા. ભાજપ એ જ પૈસાનો ઉપયોગ દેશભરમાં ધારાસભ્યો અને સાંસદો ખરીદવા માટે કરી રહી છે અને તેથી જ મોદીજી આ ફંડ ચોરી પર ચૂપ છે."

SIT એ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો

ઉલ્લેખનીય છે કે, રામ મંદિર સાથે જોડાયેલા આ વિવાદોની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને 3 સભ્યોની એક SIT ની રચના કરી હતી. આ ટીમે પોતાનો પ્રાથમિક રિપોર્ટ તો સરકારને સોંપી દીધો છે અને એવી શક્યતા છે કે આગામી 10 થી 15 દિવસમાં ફાઇનલ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે સંજય સિંહના પુરાવા આપ્યા બાદ આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે.

Frequently Asked Questions

અયોધ્યા રામ મંદિર કૌભાંડમાં કોને સમન્સ મોકલવામાં આવ્યું છે?

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પુરાવા રજૂ કરવા બોલાવ્યા છે. તેમણે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

સંજય સિંહ ક્યારે અને ક્યાં પુરાવા રજૂ કરશે?

તેમને 25 જૂને સવારે 11 વાગ્યે લખનૌમાં ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં હાજર રહેવા બોલાવાયા છે. તેઓ આ કેસ સંબંધિત તમામ માહિતી અને પુરાવા સોંપશે.

સંજય સિંહે રામ મંદિર ટ્રસ્ટ પર કેવા આક્ષેપો કર્યા છે?

તેમણે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પર કરોડો રૂપિયાની જમીન અનેકગણા ઊંચા ભાવે ખરીદવાનો આરોપ મૂક્યો છે. દા.ત., 2 કરોડની જમીન 18.5 કરોડમાં ખરીદાઈ.

રામ મંદિર વિવાદોની તપાસ માટે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે?

ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને 3 સભ્યોની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. આ ટીમ વિવાદોની તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે દાયકાઓ જૂનો નર્મદા વિવાદ ઉકેલાયો, અમિત શાહની હાજરીમાં થયો ઐતિહાસિક કરાર
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં મૂશળધાર વરસાદનો કહેર, નાસિકમાં વાદળ ફાટવાની શક્યતા સાથે ભારે વરસાદનું એલર્ટ
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Mumbai Heavy Rain Update: મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ, અનેક ટ્રેનો રદ, જનજીવન અસ્તવ્યસ્ત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
બુધ ગોચર 2026: મિથુન રાશિમાં બુધનો પ્રવેશ આ 3 રાશિઓનું ભાગ્ય ખોલશે, મળશે મોટી સફળતા
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?
Embed widget