મહેન્દ્રસિંહ વાઘેલા અને શંકરસિંહ વાઘેલા એક જ છે, તેવું નિવેદન પણ શંકરસિંહે એ સમયે આપ્યું હતું. મહેન્દ્રસિંહ વાઘેલાએ પિતાની લાગણીને માન આપીને ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.
2/3
ગાંધીનગરઃ થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, હું વ્યક્તિગત કારણોથી ભાજપમાંથી રાજીનામું આપું છું.
3/3
શંકરસિંહ વાઘેલાએ થોડા સમય પહેલા જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષોને એક કરવાની ભૂમિકા પોતે ભજવશે, તેવું એલાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મહેન્દ્રસિંહ પણ ભાજપ છોડશે, તેવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.