તેમણે ઉમેર્યું કે, ભાજપ સરકારમાં પોતાને ન સમાવાયા તે અંગે પણ પોતે નારાજ હોવાની વાત ખોટી છે. હું ભાજપનો કાર્યકર છું અને ભાજપ મને જે કામગીરી સોંપશે તે હું નિષ્ઠાથી કરીશ.
2/4
‘એબીપી અસ્મિતા’ પર ‘નીતિન પટેલ માન્યા તો ભાજપના બીજા ધુરંધર નેતા નારાજ, કેબિનેટ મંત્રીપદ ના મળે તો રાજીનામાની ધમકી, જાણો વિગત’ શિર્ષક હેઠળ પ્રકાશિત સમાચાર અંગે બોખીરીયાએ જણાવ્યું કે, પોતે ભાજપ હાઈ કમાન્ડ સમક્ષ કોઈ માગણી કરી નથી કે કોઈ નારાજગી વ્યક્ત કરી નથી.
3/4
ગાંધીનગરઃ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ પોતાનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ ન કરાતાં પોતે નારાજ હોવાના કે ધારાસભ્ય પદેથી રાજીનામાની ધમકી આપી હોવાના અહેવાલને નકારી કાઢ્યા છે.
4/4
એબીપી અસ્મિતા દ્વારા પ્રકાશિત આ અહેવાલનો ઉદ્દેશ બાબુભાઈ બોખીરીયાની બદનામી કરવાનો કે તેમની લાગણી દુભાવવાનો ન હતો.