શોધખોળ કરો
કોંગ્રેસે સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પરત ખેંચ્યો, 3 MLAનું સસ્પેન્શન પણ રદ
1/4

વિધાનસભા સત્રની શરુઆતમાં જ કોંગ્રેસે સ્પીકર પર તેઓ વિપક્ષ સાથે ભેદભાવ રાખતા હોવાનો આરોપ મૂકી તેમની સામે ગણતરીના દિવસોમાં જ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. કોંગ્રેસ આ દરખાસ્ત પરત ખેંચે તે માટે સરકારે પણ પ્રયાસો શરુ કર્યા હતા. જોકે, આ દરખાસ્ત પરત ખેંચાય તે પહેલા જ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પર કથિત હુમલો કરવાના આરોપમાં અધ્યક્ષે કોંગ્રેસના ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારે, કોંગ્રેસે પોતાના સભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચાય તો જ પોતે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચશે તેવું જણાવ્યું હતું, પક્ષે હાઈકોર્ટમાં પણ સસ્પેન્શનને પડકાર્યો હતો.
2/4

આજે ગૃહની કામગીરી શરુ થઈ ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અવિશ્વાસની દરખાસ્ત પરત ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આખરે સર્વાનુમતે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી હતી. બીજી તરફ, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસના ત્રણ સસ્પેન્ડેડ ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે પણ દરખાસ્ત મૂકી છે.
Published at : 27 Mar 2018 12:59 PM (IST)
View More























