શોધખોળ કરો
ગુજરાતઃ BJP નેતાની દલિતો વિશે અપમાનજનક કોમેન્ટ, 'મંદિરમાં જ્ઞાતિ પૂછે તો દેકારો ને અનામત લેવામાં વાંધો નથી'
1/5

આ ગ્રુપના એડમિન ધર્મેશ મકવાણા પોતે દલિત સમાજનાં છે. તેમજ નગરસેવક ઉપરાંત માધ્યમ શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ પણ છે. તેઓએ આ ગ્રુપના અન્ય દલિત સભ્યએ મિનેશ ઝગડિયાવાલાની આ કોમન્ટ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ માફીની માગ કરી હતી. જોકે મિનેશે પોતે જ આ ગ્રુપ લેફ્ટ કરીને વિવાદ શમાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે.
2/5

આ ગ્રુપના સભ્ય એવા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ મિનેશ ઝગડિયાવાલાએ બે દિવસ પૂર્વે જ દલિતોની લાગણી દુભાય એવી ટિપ્પણી કરી હતી. હાલમાં સૌરાષ્ટ્રના એક મંદિરમાં દલિતોને પ્રવેશવા ન દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો. આ સંદર્ભમાં મિનેશે મંદિરમાં પ્રવેશ માટે જ્ઞાતિ પૂછે તો દેકારો મચાવવો પણ અનામતનો લાભ મળે તો લઈ લેવો. એવી કોમેન્ટ કરતા જ ભારે હોબાળો મચ્યો હતો.
Published at : 11 May 2017 10:04 AM (IST)
View More






















