નીતીન પટેલે જણાવ્યું હતું કે, નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્સ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે. નીતીન પટેલે કહ્યું હતું કે, તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે.
10/10
અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે બિન અનામત આયોગને લઈને આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નીતીન પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગ માટે સરકારે કેટલી યોજના બનાવી છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને સમાજના એવા વર્ગને થશે જેઓને અનામતનો લાભ નથી મળતો. આ યોજનાથી અનામત મેળવતા વર્ગને કોઈ નુકશાન થશે નહીં.