શોધખોળ કરો
તાલાલાઃ ફિયાન્સીને મળવા ગયેલા યુવકની કોણે કરી હત્યા? હત્યા પાછળ શું હતું કારણ?
1/5

ગીર સોમનાથઃ તાલાલના ધાવા ગીરમાં થયેલી યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. સગાઇના એક મહિના પછી યુવક પોતાની ફિયાન્સીને તેના ગામે ગયો હતો. જ્યાં તેનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે, યુવકના પિતાએ હત્યા થઈ હોવાની ફરિયાદ કર્યા પછી પોલીસે તપાસ કરતાં ખૂદ ફિયાન્સીએ જ યુવકની હત્યાર કરી હોવાનું સામે આવ્યું હતું.
2/5

જીગ્નેશની સગાઇ કાજલ સાથે થઇ હતી, પણ કાજલને જીગ્નેશ ગમતો ન હોય જીગ્નેશ જ્યારે બોરવાવ ગીર ગયો ત્યારે તેમની સાથે ઝઘડો કરી કાજલે જીગ્નેશને પેટમાં છરી મારી દીધી હતી. પોલીસે યુવાનના પિતાની ફરિયાદ લઇ કાજલ કરશન બાંભણીયા સામે ખુનનો ગુનો દાખલ કરી અટકની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી તાલાલા પંથક કોળી સમાજમાં ભારે ચકચાર ફેલાયેલો છે.
Published at : 11 Sep 2017 02:14 PM (IST)
View More























