આ પહેલા સરકારી કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફન્ડ પર 7.8 ટકા વ્યાજ ચૂકવવાના આદેશ 1 જુલાઇ 2017થી કર્યા હતા. જે મુજબ અત્યારસુધી વ્યાજ ચૂકવવામાં આવતું હતું પરંતુ તાજેતરમાં ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી 3 મહિનાના સમયગાળા માટે 7.6 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હોવાથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ 1 જાન્યુઆરી 2018થી જીપીએફ પર 7.6 ટકા લેખે વ્યાજ દર રહેશે.
2/4
નાણાં વિભાગે જીપીએફ વ્યાજ દરમાં 0.2 ટકાના ઘટાડાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે પીએફના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કર્યો હતો.
3/4
ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર દ્વારા પીએફના વ્યાજ દરમાં કરવામાં આવેલ ઘટાડાનો અમલ હવે જીપીએફમાં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે જીએફએના વ્યાજ દરમાં 0.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
4/4
ગાંધીનગરઃ હાલમાં જ કેન્દ્ર સરકારે નાની બચત અને પીએફના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાની અસર હવે ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ પર પણ પડવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણયને પગલે ગુજરાત સરકારના કર્મચારીઓને મોટો ફટકો પડશે.