બ્લૂ વ્હેલ ગેમ પર રોક લગાવવા માટે સરકારે આ જાહેરાત પણ કરી કે, બ્લૂ વ્હેલ સંબંધિત જાણકારી હેલ્પલાઈન નંબર પર આપનાર શખ્સને એક લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યું કે, આ ગેમને લઈને તમામ જિલ્લાના એસએસપી, કલેક્ટર અને પોલીસને ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
2/3
અમદાવાદ: રાજ્ય સરકારે બ્લૂ વ્હેલ ગેમના કારણે બનતી ઘટના પર નિયંત્રણ લાવવા આ ગેમ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ આ ગેમ રમનારની સંખ્યા વધતી જાય છે. સરકારે બ્લૂ વ્હેલ ગેમને લઈને હેલ્પલાઈન નંબર પણ શરૂ કર્યો છે. આ હેલ્પલાઈન નંબર પર કોઈ પણ વ્યક્તિ બ્લૂ વ્હેલ ગેમ સાથે જોડાયેલી કોઈપણ પ્રકારની જાણકારી આપી શકશે. આ બ્લૂ વ્હેલ લિંક ક્યાંથી મળી રહી છે અને કોણ રમી રહ્યું છે તેવી અનેક જાણકારીઓ સામેલ છે.
3/3
તે સિવાય બ્લૂ વ્હેલ ગેમની જાણકારી હેલ્પલાઈન નંબર પર આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે. રાજ્ય સરકારે બ્લૂ વ્હેલ ગેમને રોકવા પૂરો પ્રયત્ન કરી રહી છે. જેથી યુવા આ ગેમ ના રમે અને કોઈ દૂર્ધટનાથી બચી શકે. જણાવી દઈએ કે, થોડા સમય અગાઉ બનાસકાંઠાના એક યુવકે આ બ્લૂ વ્હેલ ગેમના અંતિમ ટાસ્ક પૂરો કરવા માટે પાણીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. દુનિયાભરમાં 130થી વધુ યુવાનોએ આ બ્લૂ વ્હેલ ગેમના શિકાર બન્યા છે.