શોધખોળ કરો
"એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ" પ્રખ્યાત ગીતના ગાયિકા હર્ષિદાબેન રાવલનું નિધન
1/4

હર્ષિદાબેનનો જન્મ ગાયક મણિશંકર વ્યાસને ઘરે લીંબડીમાં થયો હતો. ગુજરાત કોલેજમાં તેઓ ગુજરાતના પ્રખર ગાયક અને સંગીતકાર સ્વ. રાસબિહારી દેસાઈના વિદ્યાર્થીની રહી ચૂક્યા હતા. સંગીતકાર અવિનાશ વ્યાસે હર્ષિદાબેન પાસે ગુજરાતમાં આજે પણ નવરાત્રીમાં ખૂબ પ્રખ્યાત એવા ‘એ કે લાલ દરવાજે તંબુ તાણીયારે લોલ’ નું રોકોર્ડીગ મુંબઈમાં કરાવ્યું હતું અને આ ગીત માટે તેમને શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો.
2/4

હર્ષિદાબેનના પતિ જનાર્દન રાવલ પણ જાણિતા ગાયક હતા અને તેઓ બંને રાસબિહારી દેસાઇ જેઓ જનાર્દનભાઈના મિત્ર અને હર્ષિદાબેનના ગુરુ હતા. તેમના દ્વારા પ્રથમવાર મળ્યા હતા. જીવનના પાછલા દિવસોમાં હર્ષિદાબેન ચૈતન્યપ્રભુથી પ્રભાવિત થયા હતા અને સુગમસંગીતમાંથી ભક્તિ સંગીત તરફ વળ્યા હતા. તે સમય દરમ્યાન તુલસી, મીરા, કબીર અને સુરદાસના ભજનો પણ ગાયા હતા.
Published at : 25 Jul 2017 01:57 PM (IST)
View More























