આણંદમાં 23,175 બેરોજગારો પૈકી બેને, ગીર સોમનાથમાં 7687 બેરોજગારો પૈકી માત્ર ત્રણને, વડોદરામાં 37,937 બેરોજગારો પૈકી ચારને સરકારી નોકરી મળી હતી. તો તાપીમાં 9975 પૈકી પાંચને સરકારી નોકરી મળી છે.
2/4
ગાંધીનગર: ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. શિક્ષિત યુવાનોને નોકરી-રોજગારી આપવાના ભાજપ સરકારના દાવા સામે અનેક સવાલો ઉભા થયા છે. ખુદ સરકારના આંકડા પરથી આ સાબિત થયા છે. સોમવારે વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી આપવામાં આવી છે.
3/4
ખાસ વાત એ છે કે, સરકારી નોકરી મેળવવામાં નર્મદા જિલ્લા સૌથી આગળ છે. જિલ્લામાં 2576 યુવાનોને સરકારી નોકરી મળી છે.
4/4
વિધાનસભામાં કોંગ્રેસના સભ્યએ પુછેલા એક પ્રશ્નનના ઉત્તરમાં આ જવાબ મળ્યો છે. અમદાવાદમાં 62,608 બેરોજગારો નોંધાયા હતા. જેમા માત્ર 411ને જ સરકારી નોકરી મળી છે. ખેડામાં 20,988, પંચમહાલમાં 13,227, વલસાડમાં 14,967 બેરોજગારો નોંધાયેલા છે. જેમાં એકને પણ સરકારી નોકરી મળી નથી.