શોધખોળ કરો
ટિકિટ નહીં મળે તો ભાજપના કયા નેતાએ આપી રાજીનામની ચીમકી, જાણો વિગતે
1/5

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં આખા ગુજરાતમાં ભાજપે પછડાટ ખાધી છે ત્યારે ચોટીલા, થાન અને મૂળી તાલુકા પંચાયત ભાજપની બની છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પાંચ બેઠકો પર ભાજપે શામજીભાઇના નેતૃત્વમાં કબજો કર્યો હતો. આથી જો શામજીભાઇને ટિકિટ નહીં ફાળવાય તો સુરેન્દ્રનગર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોળી સમાજ નારાજ થાય તેવું લાગી રહ્યું છે.
2/5

ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રી રઘુભાઇ કુકડીયા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ નાથાભાઇ સંઘાણી, થાન તાલુકા પંચાયતના પ્રમુખ કરમશીભાઇ રંગપરા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બચુભાઇ દેત્રોજા સહીતનાઓના જણાવ્યા મુજબ અન્ય જ્ઞાતીના અમુક આગેવાનોના દબાણને વશ થઇને શામજી ચૌહાણની ટિકિટ કાપવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.
Published at : 17 Nov 2017 08:04 AM (IST)
View More























