શોધખોળ કરો
અમદાવાદ પછી ગુજરાતના કયા શહેરમાં લાગ્યા શંકરસિંહના મોરચાના પોસ્ટર?
1/6

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી માટેની તૈયારીઓ દેખાવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ એક બીજાને નીચા દર્શાવી પોતાની છબી મજબૂત રીતે ઉપસાવવા પ્રતિબદ્ધ છે. આ વચ્ચે, એક નવું પરિમાણ ગુજરાતની રાજનીતિમાં ઉભરતું દર્શાઈ રહ્યું છે અને એ છે જનવિકલ્પ. ગઈ કાલે અમદાવાદ પછી જામનગરમાં પણ શંકરસિંહના મોરચાના આ પોસ્ટર લાગ્યા છે.
2/6

સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે.
Published at : 06 Sep 2017 12:07 PM (IST)
View More























