શોધખોળ કરો
જીજ્ઞેશ મેવાણીએ સામખિયાળી હાઈવે બંધ કરાવી દેવાની આપી કેમ ચીમકી?
1/4

જીગ્નેશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી છે કે જમીન દલિતોને પાછી આપવામાં નહીં આવે તો સામખિયાળી નેશનલ હાઈવે બંધ કરવામાં આવશે. તેમજ ભચાઉમાં દલિતોને ફાળવાયેલી જમીન પર 35 વર્ષથી દબાણ કરવામાં આવ્યું છે. જે દૂર કરી જમીન દલિતોને આપવામાં આવે તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
2/4

હાલમાં જ ભુજમાં ભુજમાં દલિત અધિકાર રેલીને સંબોધિત કરતા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કચ્છ જીલ્લામાં આવેલી દલિત સમુદાયની કેટલીક જમીનો પર અન્ય લોકો ગેરકાયદે રીતે કબજો કરીને બેઠા છે. જીગ્નેશ મેવાણીએ એવી ચીમકી ઉચ્ચારી છે કે સીએમ રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ નહીં અડાડવા દઈએ. તેમજ માગ કરી હતી કે કચ્છમાં દલિતોની જમીનો પર માથાભારે તત્વોનો જે કબજો એ ઝડપથી દુર કરવામાં આવે.
Published at : 05 Feb 2018 09:53 AM (IST)
View More























