શોધખોળ કરો
ભાજપને ફાયદો કરાવવા શંકરસિંહ ‘પાસ’નો ઉપયોગ કરશે, જાણો શું છે બાપુની યોજના?
1/5

હાલની સ્થિતિમાં રાજ્યના મોટા ભાગના પાટીદારો ભાજપ પ્રત્યે અસંતોષ ધરાવી રહ્યા છે. ગત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ પણે જોવા મળી હતી. જો એનસીપી અને બાપુ પાટીદારની ભાજપ પ્રત્યેની નારાજગીને પોતાની તરફ વાળવામાં સફળ થાય તો તેનાથી કૉંગ્રેસને સીધું નુકસાન અને ભાજપને સીધો ફાયદો થાય તેવા ચોખ્ખો હિસાબ દેખાઈ રહ્યો છે.
2/5

ચિરાગ પટેલે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. જ્યારે કેતન પટેલ સક્રિય રાજનીતિમાં ક્યારે પણ નહીં રહે તેવી જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ સામાજિક રીતે સક્રિય રહેવાનું પણ કહી ચુક્યા છે. આ બન્ને પાટિદારને સમાજના 35થી વધુની વય ધરાવતા લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત છે. બાપૂ આ વર્ગનું સમર્થન મેળવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.
Published at : 21 Aug 2017 09:48 AM (IST)
View More























