શોધખોળ કરો
ભાજપમાં જોડાવા તથા રાજ્યસભાની ચૂંટણી લડવા અંગે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે શું કહ્યું, જાણો
1/4

હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. હવે પછીના પક્ષના કોઇ પણ કાર્યક્રમમાં હાજર રહેવાનો પણ પ્રયત્ન કરીશ તેવી સ્પષ્ટતા પણ મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલની પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલ સહિતના કેટલાક શંકરસિંહ વાઘેલા જૂથના કેટલાક સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા.
2/4

મહેન્દ્રસિંહ વાઘેલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇ કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની સાથે હું હાજર રહી ન શકયો તેનું કારણ મારી નારાજગી નથી, પરંતુ તે સમયે હું અમદાવાદ અને ગાંધીનગરની બહાર હતો. મેં શંકરસિંહ બાપુ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતને ફોન કરીને અગાઉથી જાણ પણ કરી હતી. મને ભાજપ તરફથી રાજ્યસભાના સંસદસભ્યની કોઇ ઓફર આવી નથી. આ ફકત અફવા જ છે.
Published at : 14 Jun 2017 02:38 PM (IST)
View More























